જવાબદાર તંત્રની ગંભીર નિંદરકારીના કારણે સિહોરમાંથી પસાર થત। રાજકોટ ભાવનગર હાઈ વે પર વારંવાર મસમોટા ગાબડા પડી જવા પામે છે તંત્ર ખાડાઓ બુરે અને પછી એકાદ બે દિવસમાં હતી એજ સ્થિતિઓ ઉભી થાય છે ભાવનગર સ્ટેટ હાઈવે સિહોરમાંથી પસાર થતો હોય જે રોડ સિહોરના ગુંદાળા વિસ્તારથી મામલતદાર કચેરી સુધી તેમજ તાલુકા પંચાયતથી વડલાવાળી ખોડીયાર મંદિર સુધી તેમજ બસ સ્ટેન્ડથી પુલ સુધી તથા રેસ્ટ હાઉસથી સોનગઢ સુધીનાં આખા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે