સી. એન. વિદ્યાલય કપડવંજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખેડા દ્વારા આયોજિત ગણિત વિષય સજ્જતા સેમિનાર ડૉ .રમેશચંદ્ર કોઠારી સાહેબ પૂર્વ કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ખેડા શિલ્પાબેન પટેલે સૌને આવકાર્યા અને પ્રોફેસર કોઠારી સાહેબનો સૌને પરિચય કરાવ્યો. 

કાર્યક્રમમાં પ્રોફેસર ડોક્ટર કોઠારી સાહેબ કપડવંજ અને કઠલાલ તાલુકાની માધ્યમિક શાળાઓમાં ગણિત વિષય ભણાવતા 70 થી વધુ શિક્ષકો ને ગણિત વિષય હળવી શૈલીથી કઈ રીતે વિદ્યાર્થીઓને શીખવવા, દરેક પ્રકરણની શરૂઆતમાં પૂર્વજ્ઞાન ચકાસણીને લગતા પ્રશ્નો તેમજ ગણિત વિષયની સંકલ્પનાઓ તર્કબદ્ધ રીતે વિદ્યાર્થીઓને આત્મસાત કેવી રીતે કરાવવી, પરિણામ સુધારણા માટે ગણિતના શિક્ષકે શું કરવું જોઈએ, એકમ કસોટી નું શું મહત્વ છે, શિક્ષણ દર્શન માસિકઅંકની ઉપયોગીતા, વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓની મુશ્કેલીઓ જાણવી અને કઈ રીતે ઉકેલવી જેવી ઉપયોગી બાબતોનુ માર્ગદર્શન આપવામા આવ્યુ.

 આ કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક રણજીતસિંહ ડાભી, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી તેમજ કપડવંજ અને કઠલાલ તાલુકાના એસ.વી. એસ. કન્વીનરો હાજર રહ્યા. બંને તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગણિત વિષય ભણાવતા તમામ શિક્ષક મિત્રોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.