સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા માટે અને કુમારિકાઓ શિવ જેવા પતિની પ્રાપ્ત માટે આજે મંગળવારે કેવડા ત્રીજની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરી હતી. કેવડા ત્રીજના પર્વને લઈ સમગ્ર ઝાલાવાડ માં આવેલા શિવાલયોમાં બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.આ સાથે શ્રાવણ માસ બાદ શિવ મંદિરોમાં કેવડા ત્રીજે હર.. હર.. મહાદેવનો નાદ ગુંજીતો સાંભળવા મળ્યાહતા.વઢવાણ, સુરેન્દ્રનગર માં તા.૩૦-૮ને મંગળવારે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરેલ.કેવડા ત્રીજ સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા અનુસાર માતા પાર્વતીજીએ દેવાધિદેવ મહાદેવજીને પામવા માટે કઠોર તપશ્યા કર્યા બાદ ભાદરવા સુદ-૩ના દિવસે તેમણે શિવલીંગ ઉપર કેવડાના પુષ્પનો અભિષેક કર્યો હતો. જેનાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ માતા પાર્વતીજીને તેમના જીવન સંગીની બનાવ્યા હોવાનું ધર્મગ્રંથોમાં આલેખાયેલું છે. જેથી કેવડા ત્રીજના પૂજનની સનાતન સંસ્કૃતિમાં અલગ જ મહાત્મય દર્શાવાયું છે. આજે કેવડા ત્રીજનું પર્વ હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને કેવડાનું પુષ્પ ચડાવી મહાદેવજીના આશીર્વાદ મેળવેલ. કેવડા ત્રીજનું વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની મંગલકામના, ઘર-પરિવારની સુખ-સમુધ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી . જ્યારે કુમારિકાઓ દ્વારા પાર્વતી માતાને મહાદેવજી મળ્યાં તેવા પતિ પ્રાપ્ત થાય માટે દેવાધિદેવ મહાદેવનું પૂજન કરી આખોદિવસ નકોરડા ઉપવાસ કરશે. વધુમાં વર્ષમાં એક જ વખત કેવડા ત્રીજના દિવસે ભોળાનાથને કેવડો ચડતો હોવાની પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે.બજારોમાં કેવડા પુષ્પનું વેચાણ થયું હતું તે ઉપરની તસવીરમાં નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SBI દેવગઢ બારીઆ ખાતે PM સ્વનિધિ યોજના ના 11 લાભર્થીઓ ને લોન આપવામાં આવી
SBI દેવગઢ બારીઆ ખાતે PM સ્વનિધિ યોજના ના 11 લાભર્થીઓ ને લોન આપવામાં આવી
Russia Ukraine War: रूस और यूक्रेन के बीच नहीं थम रहा युद्ध, दक्षिणी यूक्रेन में हुए हमले में 21 लोग घायल
यूक्रेनी अधिकारियों ने गुरुवार को कहा कि तीसरी रात रूसी हवाई हमलों में बंदरगाह...
মাজুলী ৰাসৰ কংসালয়ৰ এক দৃশ্য
মাজুলী ৰাসৰ কংসালয়ৰ এক দৃশ্য
प्रोफेसर अफरोज व मुफ्ती अब्दुल हकीम सब्जपोश अवॉर्ड से सम्मानित।
गोरखपुर। गुरुवार को सब्जपोश हाउस मस्जिद जाफ़रा बाज़ार के मैदान में मोहसिन-ए-आज़म कांफ्रेंस हुई।...
Self Respect Marriage : एक ऐसी शादी जिसमें ना पंडित है, ना सिंदूर है और ना ही कोई मंगलसूत्र... (BBC)
Self Respect Marriage : एक ऐसी शादी जिसमें ना पंडित है, ना सिंदूर है और ना ही कोई मंगलसूत्र... (BBC)