સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા માટે અને કુમારિકાઓ શિવ જેવા પતિની પ્રાપ્ત માટે આજે મંગળવારે કેવડા ત્રીજની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરી હતી. કેવડા ત્રીજના પર્વને લઈ સમગ્ર ઝાલાવાડ માં આવેલા શિવાલયોમાં બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.આ સાથે શ્રાવણ માસ બાદ શિવ મંદિરોમાં કેવડા ત્રીજે હર.. હર.. મહાદેવનો નાદ ગુંજીતો સાંભળવા મળ્યાહતા.વઢવાણ, સુરેન્દ્રનગર માં તા.૩૦-૮ને મંગળવારે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરેલ.કેવડા ત્રીજ સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા અનુસાર માતા પાર્વતીજીએ દેવાધિદેવ મહાદેવજીને પામવા માટે કઠોર તપશ્યા કર્યા બાદ ભાદરવા સુદ-૩ના દિવસે તેમણે શિવલીંગ ઉપર કેવડાના પુષ્પનો અભિષેક કર્યો હતો. જેનાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ માતા પાર્વતીજીને તેમના જીવન સંગીની બનાવ્યા હોવાનું ધર્મગ્રંથોમાં આલેખાયેલું છે. જેથી કેવડા ત્રીજના પૂજનની સનાતન સંસ્કૃતિમાં અલગ જ મહાત્મય દર્શાવાયું છે. આજે કેવડા ત્રીજનું પર્વ હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને કેવડાનું પુષ્પ ચડાવી મહાદેવજીના આશીર્વાદ મેળવેલ. કેવડા ત્રીજનું વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની મંગલકામના, ઘર-પરિવારની સુખ-સમુધ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી . જ્યારે કુમારિકાઓ દ્વારા પાર્વતી માતાને મહાદેવજી મળ્યાં તેવા પતિ પ્રાપ્ત થાય માટે દેવાધિદેવ મહાદેવનું પૂજન કરી આખોદિવસ નકોરડા ઉપવાસ કરશે. વધુમાં વર્ષમાં એક જ વખત કેવડા ત્રીજના દિવસે ભોળાનાથને કેવડો ચડતો હોવાની પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે.બજારોમાં કેવડા પુષ્પનું વેચાણ થયું હતું તે ઉપરની તસવીરમાં નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ ગુંદાળા વાડીમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લીધા
આટકોટ ગુંદાળા વાડીમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લીધા
पिंपरी चिंचवड शहरात नागपंचमी उत्सात साजरी.
पिंपरी चिंचवड शहरात नागपंचमी उत्सात साजरी.
शेतकऱ्यांना महत्वाची माहिती देताना माजी आमदार हर्षवर्धन जाधव बघा स्वीस्तर विडियो
कन्नड शेतकऱ्यांना महत्वाची माहिती देताना माजी आमदार हर्षवर्धन जाधव बघा स्वीस्तर विडियो
Gyanvapi Masjid Updates: ज्ञानवापी मामले पर Ram Gopal Yadav ने कोर्ट को गलत बताया | Hindi News
Gyanvapi Masjid Updates: ज्ञानवापी मामले पर Ram Gopal Yadav ने कोर्ट को गलत बताया | Hindi News