સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા માટે અને કુમારિકાઓ શિવ જેવા પતિની પ્રાપ્ત માટે આજે મંગળવારે કેવડા ત્રીજની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરી હતી. કેવડા ત્રીજના પર્વને લઈ સમગ્ર ઝાલાવાડ માં આવેલા શિવાલયોમાં બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.આ સાથે શ્રાવણ માસ બાદ શિવ મંદિરોમાં કેવડા ત્રીજે હર.. હર.. મહાદેવનો નાદ ગુંજીતો સાંભળવા મળ્યાહતા.વઢવાણ, સુરેન્દ્રનગર માં તા.૩૦-૮ને મંગળવારે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરેલ.કેવડા ત્રીજ સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા અનુસાર માતા પાર્વતીજીએ દેવાધિદેવ મહાદેવજીને પામવા માટે કઠોર તપશ્યા કર્યા બાદ ભાદરવા સુદ-૩ના દિવસે તેમણે શિવલીંગ ઉપર કેવડાના પુષ્પનો અભિષેક કર્યો હતો. જેનાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ માતા પાર્વતીજીને તેમના જીવન સંગીની બનાવ્યા હોવાનું ધર્મગ્રંથોમાં આલેખાયેલું છે. જેથી કેવડા ત્રીજના પૂજનની સનાતન સંસ્કૃતિમાં અલગ જ મહાત્મય દર્શાવાયું છે. આજે કેવડા ત્રીજનું પર્વ હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને કેવડાનું પુષ્પ ચડાવી મહાદેવજીના આશીર્વાદ મેળવેલ. કેવડા ત્રીજનું વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની મંગલકામના, ઘર-પરિવારની સુખ-સમુધ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી . જ્યારે કુમારિકાઓ દ્વારા પાર્વતી માતાને મહાદેવજી મળ્યાં તેવા પતિ પ્રાપ્ત થાય માટે દેવાધિદેવ મહાદેવનું પૂજન કરી આખોદિવસ નકોરડા ઉપવાસ કરશે. વધુમાં વર્ષમાં એક જ વખત કેવડા ત્રીજના દિવસે ભોળાનાથને કેવડો ચડતો હોવાની પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે.બજારોમાં કેવડા પુષ્પનું વેચાણ થયું હતું તે ઉપરની તસવીરમાં નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Film Emergency पर BJP सांसद Kangana Ranaut ने कहा, 'काली करतूतें 6 सितंबर को खुलेगी' | Aaj Tak
Film Emergency पर BJP सांसद Kangana Ranaut ने कहा, 'काली करतूतें 6 सितंबर को खुलेगी' | Aaj Tak
पचमढ़ी मध्य प्रदेश जिला नर्मदा पुरम की पावन धरा पर संगीतमय श्रीमद् भागवत कथा।
पचमढ़ी मध्य प्रदेश जिला नर्मदा पुरम की पावन धरा पर संगीतमय श्रीमद् भागवत कथा।
कल्दा क्षेत्र की आधा दर्जन ग्रामों का पूर्व कैबिनेट मंत्री मुकेश नायक ने किया दौरा लोगों की सुनी समस्याएं
एमपी में विधानसभा चुनाव जैसे-जैसे नजदीक आ रहे हैं वैसे वैसे तमाम राजनीतिक...
আলফাৰ চাৰ্জেন্ত মেজৰ ইয়াংখু অসম ওৰফে অচিন্ত মৰাণৰ ৰাজহুৱা আদ্যশ্রাদ্ধ সম্পন্ন
আলফাৰ চাৰ্জেন্ত মেজৰ ইয়াংখু অসম ওৰফে অচিন্ত মৰাণৰ ৰাজহুৱা আদ্যশ্রাদ্ধ সম্পন্ন দেশ আৰু জাতিৰ বাবে...
सपा नेता के होटल में बदमाशों को पकड़ने गई पुलिस से मालिक पिता-पुत्र की हाथापाई, मुकदमा दर्ज
आगरा: सैयां में लूट करने वाले बदमाशों को होटल में पकड़ने गई पुलिस पर होटल संचालक और उसके पुत्र ने...