સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા માટે અને કુમારિકાઓ શિવ જેવા પતિની પ્રાપ્ત માટે આજે મંગળવારે કેવડા ત્રીજની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરી હતી. કેવડા ત્રીજના પર્વને લઈ સમગ્ર ઝાલાવાડ માં આવેલા શિવાલયોમાં બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.આ સાથે શ્રાવણ માસ બાદ શિવ મંદિરોમાં કેવડા ત્રીજે હર.. હર.. મહાદેવનો નાદ ગુંજીતો સાંભળવા મળ્યાહતા.વઢવાણ, સુરેન્દ્રનગર માં તા.૩૦-૮ને મંગળવારે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરેલ.કેવડા ત્રીજ સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા અનુસાર માતા પાર્વતીજીએ દેવાધિદેવ મહાદેવજીને પામવા માટે કઠોર તપશ્યા કર્યા બાદ ભાદરવા સુદ-૩ના દિવસે તેમણે શિવલીંગ ઉપર કેવડાના પુષ્પનો અભિષેક કર્યો હતો. જેનાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ માતા પાર્વતીજીને તેમના જીવન સંગીની બનાવ્યા હોવાનું ધર્મગ્રંથોમાં આલેખાયેલું છે. જેથી કેવડા ત્રીજના પૂજનની સનાતન સંસ્કૃતિમાં અલગ જ મહાત્મય દર્શાવાયું છે. આજે કેવડા ત્રીજનું પર્વ હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને કેવડાનું પુષ્પ ચડાવી મહાદેવજીના આશીર્વાદ મેળવેલ. કેવડા ત્રીજનું વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની મંગલકામના, ઘર-પરિવારની સુખ-સમુધ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી . જ્યારે કુમારિકાઓ દ્વારા પાર્વતી માતાને મહાદેવજી મળ્યાં તેવા પતિ પ્રાપ્ત થાય માટે દેવાધિદેવ મહાદેવનું પૂજન કરી આખોદિવસ નકોરડા ઉપવાસ કરશે. વધુમાં વર્ષમાં એક જ વખત કેવડા ત્રીજના દિવસે ભોળાનાથને કેવડો ચડતો હોવાની પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે.બજારોમાં કેવડા પુષ્પનું વેચાણ થયું હતું તે ઉપરની તસવીરમાં નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণহাট নাট্যমন্দিৰত ৰাজ্যৰ ২৪৮ ।গৰাকী মলুঙলৈ অসম চৰকাৰৰ সাহাৰ্য্য প্ৰদান অনুষ্ঠান উদ্বোধন কৰে কেবিনেট মন্ত্ৰী যোগেন মহনে।
মৰাণহাটৰ নাট্যমন্দিৰত অসম চৰকাৰৰ দ্বাৰা ২৪৮ গৰাকী মলুঙলৈ এককালীন সাহাৰ্য্য প্ৰদান অনুষ্ঠান...
हळद मार्केटमध्ये हळदीची आठ हजार पोत्याची आवक; वाहनांच्या रांगाच रांगा
हळद मार्केटमध्ये हळदीची आठ हजार पोत्याची आवक; वाहनांच्या रांगा लागल्या पोस्ट ऑफिस पर्यंत
...
માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યુ પોલીસ સ્ટેશન રોડ થી તેરગોળા ચોકડી સુધી ડામર રોડનું રીપેરીંગ કામ શરૂ કરાયું.
ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા મોળા કુવા,પોલીસ સ્ટેશન રોડ વડવાસ ચોકડી સુધી જતો રસ્તો છેલ્લા...
ঠিকাদাৰ নিৰ্মল ম'ৰেৰ এজাহাৰৰ ভিত্তিত বীৰ লাচিত সেনাৰ প্ৰশাসনিক সচিৱ শৃংখল চলিহাৰ বাসগৃহ ঘেৰাও।
বীৰ লাচিত সেনাৰ।প্ৰশাসনিক সচিব শৃংখল চলিহাৰ ফুকন নগৰৰ বাসগৃহ ঘেঁৰাও শিৱসাগৰ আৰক্ষীৰ। উল্লেখযোগ্য...