રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લામાં શેરીમાં રહેતા બાળકોના પરિવારોને આવકના દાખલા અપાયા...
બનાસકાંઠા જિલ્લામાં શેરીમાં રહેતા બાળકોના પરિવારોને આવકના દાખલા અપાયા
...
અમરેલી મા સદભાવના ગ્રુપ દ્વારા ત્રીવિઘ કાર્યક્રમ યોજાયો
અમરેલી મા સદભાવના ગ્રુપ દ્વારા ત્રીવિઘ કાર્યક્રમ યોજાયો
માલવણ ચોકડી પરથી વિદેશી દારૂની 216 બોટલો સાથેની કાર ઝડપાઇ :આરોપી નાસી છૂટ્યો
બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી તાલુકાની માલવણ...