ભાંખલ અને થાળામાં 387 હેકટરમાં પવનચક્કી દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકાય ઉજાક્ષેત્રે ઉત્પાદનમાં ગોહિલવાડમાં વિકલ્પ મળી શકે આ કુદરતી સૌંદર્યસભર વિસ્તારમાં સરકારી તંત્ર ધારે તો પર્યટન ધામ તરીકે વિકસાવીને બહારના પ્રવાસીઓને આકર્ષી શકે 21મી સદીનો બીજો દાયકો ચાલી રહ્યો છે. દુનિયા અતિ ઝડપથી વધુને વધુ આગળ વધી રહી છે. ઇન્સ્ટન્ટ યુગ ચાલી રહ્યો છે. પૈસા અને વીજળીએ દુનિયાની સિકવલ બદલી નાખી છે. દિવસે-દિવસે વીજળીની માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં સિહોર તાલુકાના બે ગામો ભાંખલ અને થાળાના અનામત બીડમાં પવન ચકકી દ્વારા વિપુલ માત્રામાં સિહોર તાલુકાના છેવાડાના બે ગામ એટલે ભાંખલ અને થાળા. ભાંખલ ગામે 88 હેકટર અને થાળા ગામે 299 હેકટર એમ કુલ 387 હેકટર બીડ આવેલ. આ બીડ અનામત બીડ છે. હાલમાં માળનાથના ડુંગરમાં ઘણી પવનચકકી મૂકવામાં આવી છે. અને ત્યાં વિપુલ માત્રામાં વીજળી પેદા થાય છે. જો થાળા અને ભાંખલના આ વિશાળ બીડમાં પવનચકકીનો પ્રોજેકટ મૂકવામાં આવે તો અહીં હજારો પવનચકકી મૂકી શકાય. હાલમાં આ બીડ સાવ જ ખાલીખમ્મ છે. અને લગભગ બિનઉપયોગી છે. પણ જો આ બીડમાં પવનચકકી મૂકવામાં આવે તો લોકોને સસ્તી કિંમતે વીજળી આપી શકાય. હાલના આ પડતર બીડમાં જો કોઇ ખાનગી કે સરકારી કંપની રસ દાખવે અને અહીં પવન ચકકી સ્થાપવામાં આવે તે સમયની માંગ છે. ઉપરાંત આ બીડ અખૂટ કુદરતી સૌંદર્ય પણ છે. બેશુમાર ગિરિમાળાઓ પણ છે. તેને પર્યટન ધામ તરીકે વિકસાવી શકાય છે. એટલે અહીં ચોમાસામાં કુદરતના અદભુત નજારો જોવા મળે છે. એટલે અહીં પ્રવાસીઓને પણ આકર્ષી શકાય તેમ છે. અને આ સુમસામ બીડ ધમધમતું બની શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રોટરી કલબ ઓફ વઢવાણ સીટીની સેવાકિય પ્રોજેકટની સુંગધ પ્રસરી
રોટરી કલબ ઓફ વઢવાણસીટીએ છેલ્લા 21 વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાર્યશિલ રહેતી સંસ્થા છે...
Uttar Pradesh के महाराजगंज से Akhilesh Yadav ने कहा-140 सीटें भी भाजपा को मिल जाए बड़ी बात है
Uttar Pradesh के महाराजगंज से Akhilesh Yadav ने कहा-140 सीटें भी भाजपा को मिल जाए बड़ी बात है
जल जीवन मिशन योजना में खुदाई कर डाली गई पाइप लाइन 6 महीने बाद भी नही हुई ठीक, ग्रामीणों को हो रही परेशानी
रामगंजमंडी के खेड़ा रूड्डा में जल जीवन मिशन योजना के अंतर्गत खुदाई कर डाली गई पेयजल पाइप लाइन 6...
મહુવા ના ઉદ્યોગપતિ વલ્લભભાઈ જોળીયા( માળીયા) તરફથી દિવાળી ની શુભેચ્છા પાઠવી
મહુવા ના ઉદ્યોગપતિ વલ્લભભાઈ જોળીયા( માળીયા) તરફથી દિવાળી ની શુભેચ્છા પાઠવી
একত্ৰীকৰণৰ বিৰোধিতা ডাঁহী চিনিঅ’ৰ চেকেণ্ডাৰী স্কুলৰ।
একত্ৰীকৰণৰ বিৰোধিতা ডাঁহী চিনিঅ’ৰ চেকেণ্ডাৰী স্কুলৰ।