શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.