જન્માષ્ટમીના તહેવારો હોય હાલ સૌરાષ્ટ્રભરમાં મેળાઓનો માહોલ જામ્યો છે અને જેતપુરમાં પણ લોકમેળો યોજાયો છે તેવે સમયે
ગત રાત્રે મેળામાં મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણતા હતા તે સમયે એક આખલો મેળામાં ઘૂસી જતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
લોકોની બૂમાબૂમ થતા આખલો વધુ બેકાબૂ બનતા કેટલાક લોકોને શીંગડે ચડાવતા ભારે ડરનો માહોલ ઉભો થયો હતો.

આખલો મેળાના એન્ટ્રી ગેટ પરથી મેળામાં ઘૂસતા ભારે અફરા તફરી મચી ગઇ હતી. ભૂરાટા બનેલા આખલાને શાંત કરવા માટે લોકોએ આખલાના માથા પર પાણી પણ નાખ્યું હતું પરંતુ આખલો શાંત થયો ન હતો અને મેળામાં આમ તેમ દોટ મૂકીને
કેટલાક રમકડાના સ્ટોલ અડફેટે લીધા હતા દરમ્યાન પોલીસે બેરિકેડ નાખી રોકવાનો પ્રયાસ કરતા તેને શીંગડા મારી આખલો મેળામાં ધમાચકડી મચાવી હતી