સરહદ ઉપર દેશનું રક્ષણ કરતા જવાનોની સાથે ભગવાનના આશીર્વાદ અને ભગવાન સદૈવ સાથે રહે એવી પ્રાર્થના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીએ કચ્છની સરહદે આવેલા ભેડિયા બેટ?હનુમાન મંદિર ખાતે કરી હતી. `આઝાદી કા અમૃત મહોત્સવ' તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો તથા હરિભકતો સાથે યોજાયેલા દેશભકિતસભર કાર્યક્રમમાં સીમા સુરક્ષા દળના જવાનોની આંખની ચકાસણીના ઓપ્થો મેટ્રિક મશીનની અર્પણવિધિ કરાઇ હતી. આ પ્રસંગે સીમા સુરક્ષા દળના કચ્છ સેક્ટરના ડી.આઇ.જી. સંજય શ્રીવાસ્તવ અને કમાન્ડો સંજય અવિનાશે આચાર્ય સ્વામીજી અને સંતોને આવકાર્યા હતા. જવાનો અને હરિભકતોને' સંબોધતાં આચાર્ય સ્વામીએ કહ્યું હતું કે, સીમા સુરક્ષા દળને કોઇપણ જરૂરિયાત હોય તો તેમાં સંસ્થાના હરિભકતો સદૈવ તત્પર રહેશે. આચાર્ય સ્વામીના આશીર્વાદ મેળવ્યા બાદ ડી.આઇ.જી. સંજય શ્રીવાસ્તવએ આભારની લાગણી' વ્યકત કરી હતી. સાથે જણાવ્યું હતું કે, કચ્છ સરહદે તેમના દળના જવાનો કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત ભુજમાં ચલાવાતી કન્યા કેળવણીમાં સીમા સુરક્ષા દળ સહકાર આપવા તૈયાર હોવાનું ડી.આઇ.જી. સંજય શ્રીવાસ્તવે કહ્યું છે. આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી, ભુજ મંદિરના મહંત ધર્મવત્સલ સ્વામી તથા મહામુનિશ્વર સ્વામી, વિવેકભૂષણ સ્વામી તથા સત્યપ્રકાશદર્શન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જાદવજીભાઇ વરસાણી તથા દાતા લાલજીભાઇ ભુવા તથા સંસ્થાના હરિભકતો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় শক্তি উত্তোলন প্ৰতিযোগিতাত চৰাইদেউৰ যুৱকৰ অংশগ্ৰহণ।
ৰাষ্ট্ৰীয় শক্তি উত্তোলন প্ৰতিযোগিতাত চৰাইদেউৰ যুৱকৰ অংশগ্ৰহণ।
চৰাইদেউ জিলাৰ প্ৰভাত...
MCN NEWS | अल्पवयीन मुलीवर बलात्कारप्रकरणी २० वर्ष सक्तमजुरी ; वैजापूर न्यायालयाचा निकाल...
MCN NEWS | अल्पवयीन मुलीवर बलात्कारप्रकरणी २० वर्ष सक्तमजुरी ; वैजापूर न्यायालयाचा निकाल...
સુરતના ઇતિહાસમા પહેલીવાર ગૃહિણીના બજેટને જોઈને ધમાકેદાર,લાજવાબ સ્કીમો આવી.જુઓ આજના અમારા ઇન્ટરવ્યૂમા
સુરતના ઇતિહાસમા પહેલીવાર ગૃહિણીના બજેટને જોઈને ધમાકેદાર,લાજવાબ સ્કીમો આવી.જુઓ આજના અમારા...
Loksabha Election 2024: आज Saharanpur में गरजेंगे PM Modi, Ghaziabad में करेंगे रोड शो | BJP
Loksabha Election 2024: आज Saharanpur में गरजेंगे PM Modi, Ghaziabad में करेंगे रोड शो | BJP
તળાજાના રોજિયા ગામે મારામારી કરી હવા ફાયરિંગ કર્યું
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોજીયા ગામે ભગીરથસિંહ સરવૈયાએ રિન્યુ પાવર...