સિહોર શહેરમાં રખડતા ઢોરને કારણે નગરજનો અને વાહનચાલકો ત્રાહિમામ સિહોરમાંથી પસાર થતા હાઈવે પર વાહન ચાલકોને પડતી હાલાકી હાઇવે પર જીવલેણ ખાડાથી વાહન ચાલકો ત્રસ્ત છે તેમાં ઢોરનો પણ ત્રાસ વધ્યો સિહોરમાં હાઇવે પર એક તો મોટા મોટા ખાડાનો ત્રાસ અને તેમાં વધુ રખડતા ઢોરનો ભારે ત્રાસ રહેતો હોય વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.મોટા ખાડાઓથી બચવા પ્રયત્ન કરે તો ઢોરની અડફેટે આવી જવાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર સતત ટ્રાફિક રહ્યા કરે છે તો આ રોડ પર રખડતા-ભટકતા ઢોરના ત્રાસને કારણે નગરજનો અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. સિહોરમાં દાદાની વાવ,તાલુકા પંચાયત પાસે,રેલવે સ્ટેશન રોડ, વિજય પેલેસ,મેઇન બજાર, મોટા ચોક પાસેની શાકમાર્કેટ, નગરપાલિકા પાસેની શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં રખડતા ભટકતા ઢોરોના ત્રાસને કારણે નગરજનો અને અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજ્ય ધોરી માર્ગ અને અમદાવાદ રોડ પસાર થાય છે આથી આ રોડ પરથી કચ્છ-ભુજ, રાજકોટ, જામનગર, અમરેલી, સાવરકુંડલા, બાબરા,ધારી, જુનાગઢ, અમદાવાદ, સુરત,વડોદરા સહિતના નાનાં-મોટાં શહેરો તરફ જતાં -આવતા વાહનો અસંખ્ય માત્રામાં પસાર થાય છે. સિહોરની મેઇન બજાર આમેય તે સાંકડી છે. સિહોરની મેઇન બજારમાં રખડતા ઢોરને કારણે ચાલીને જતાં રાહદારીઓ અને નાના વાહન ચાલકોને બહાર નીકળતા પણ ડર લાગે છે.અને અગાઉ પણ રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટે લીધા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लूट प्रकरण में 9 माह से फरार 5000/- रूपये का इनामी आरोपी गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा के निर्देशन में एंव अतिरिक्त पुलिस अधीक्षक...
नांदेडमध्ये युवा सेनेच्या ३५ पदाधिकारी कार्यकर्त्यांनी दिला राजीनामा
नांदेडमध्ये युवा सेनेच्या ३५ पदाधिकारी कार्यकर्त्यांनी दिला राजीनामा
જુનાગઢ મહાનગર પાલિકા શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી
આવાસ યોજના અંતર્ગત ચાલતા બી.એલ.સી.ઘટકના
લાભાર્થીઓને ગૃહ પ્રવેશ માટે પ્રતિક રૂપે કળશ એનાયત કરાયા.
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)આવાસોના ઈ-
લોકાર્પણ અને લાભાર્થીઓ...
কামৰূপ জিলাত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱসত ৰাষ্ট্ৰীয় পতাকা উত্তোলন কৰিলে মন্ত্ৰী চন্দ্ৰমোহন পাটোৱাৰীয়ে
আজি কামৰূপ জিলাতো দেশৰ ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস বৰ্ণাঢ্য কাৰ্যসূচীৰে পালন কৰা হয়। এই...