રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી, મથુરા મંદિર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા હતા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે રાત્રે 12 વાગ્યે દ્ધારકા, ડાકોર, શામળાજી, મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

  • સમગ્ર ગુજરાત કૃષ્ણમય બન્યું, ભક્તોનું ઘોડાપૂર
  • કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી
  • કૃષ્ણ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
  • ગુંજી ઉઠ્યો નંદ ઘેર આનંદ ભયોનો નાદ...!
  • નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી...

ભગવાન કૃષ્ણને આભૂષણોથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. કૃષ્ણ મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીર્તન કર્યા હતા. વિશેષ પૂજા અને આરતી બાદ ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. શ્રી કૃષ્ણની નગરી દ્વારકા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવી ભક્તોએ ભગવાનને રીઝવવા માટે મીશ્રી, માખણના ભોગ સાથે રાસ ગરબા પણ કરવામાં આવ્યા છે. અરવલ્લીના શામળાજીમાં રંગેચંગે જન્માષ્ટમી ઉજવવામાં આવી હતી. વિધિવત પૂજા અર્ચના કરીને ભગવાનના જન્મની ઉજવણી કરાઇ હતી. શામળાજીમાં ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવનો લાભ લીધો. શામળાજી મંદિરે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.