રેલ્વેના પાટા પર ટ્રેનની હડફેટે આવીને યુવાન કે યુવતીના મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની હડફેટે અજાણ્યો યુવક આવતા મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ અંગેની મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્વેના પાટાની બાજુમાં અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની માહિતી પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી ગઈ હતી. અને પોલીસ ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ અજાણ્યો યુવક ગણપતિ ફાટસર રેલ્વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્યા હોવાનુ હાલ જાણવા મળે છે. તેમજ પોલીસ ટીમે અજાણ્યા યુવકના મૃતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મૃતક અજાણ્યા યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.