ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દેલુચિયા મહારાજ ડુંગર નવા ભુનિદ્રા ખાતે ૭૩માં તાલુકાકક્ષાનાં વનમહોત્સવની ઉજવણી કરાઈ હતી.આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામલોકો સહિત તમામે આ સ્થળ પર વૃક્ષારોપણ કર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં શહેરા તાલુકાના મામલતદાર ગોપાલભાઈ, તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ, આર.એફ.ઓ  રોહિત પટેલ, પ્રમુખ મગનભાઈ પટેલીયા, જીલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ નાયક અને ભુપતભાઈ, ઉજડા ગામના સરપંચ દિલીપ મહેરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.