પાલનપુર તાલુકાના ચંડીસર નજીક એક માસ અગાઉ ઘેટા-બકરા ભરેલી ટ્રક રોકાવતાં જીવદયાપ્રેમીઓ ઉપર હુમલો કરાયો હતો. આ અંગે મંગળવારે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર તાલુકાના ચંડીસર નજીક તા. 3 એપ્રિલ 2025 ના રોજ જીવદયાપ્રેમી મડાણા (ડાં)ના રાહુલજી લાડજીજી ઠાકોર, ચંડીસરના પ્રવિણજી જવાનજી ભડીયાતરે ઘેટા-બકરા ભરેલી ટ્રક રોકાવી પૂછપરછ કરી હતી.

તે દરમિયાન ટ્રકમાં રહેલા અને વાહનમાં આવેલા ડીસાના ઇમ્તિયાઝ ફકીરમહંમદ કુરેશી, મકસુદ કુરેશી, ઇમરાન કુરેશી, વસીમ કુરેશી, આદીલભાઇ મુસ્તુફા હાજી શેખ, જમીલભાઇ બસીરભાઇ કુરેશી, અફસર કુરેશી, અદનાન કુરેશી, તૌશીફ કુરેશી અને અલતાબ કુરેશીએ ધોકા, ગડદાપાટુનો મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે રાહુલજી ઠાકોરે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.