ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝા આજે બપોરે સિહોર ખાતે પધારશે વડલાચોકે બપોરના ૧ કલાકે પોહચી જ્યાંથી સિહોરના પ્રસિદ્ધ અને સમગ્ર રાજ્યમાં પ્રચલિત નવનાથના દર્શન માટે જશે ભાવનગરના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુડબુકમાં હોવાનું કહેવાય છે સુનિલભાઈ ઓઝા અગાઉ ભાવનગર માંથી ચૂંટણી લડી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે જેતે સમયે કોઈ કારણોસર ભાજપ છોડી કેશુભાઇ પટેલ અને ગોરધનભાઈ ઝડફિયાના પક્ષ મજપામાં પણ જોડાયા હતા ભાજપે તેમની ટિકિટ કાપ્યા પછી સુનિલભાઈ મજપામાં જોડાયા અને ચૂંટણી લડીને હાર્યા પણ હતા અને લાંબા વનવાસ પછી છેવટે દોસ્તી દાવે અમિતભાઈએ તેમનું ભાજપમાં પુનરાગમન કરાવ્યં હતું ત્યાર બાદ છેલ્લા ઘણા વર્ષોથી સુનિલભાઈ બનારસ અને યુપીની જવાબદારી સંભાળે છે વિરોધીને કદી માફ ખ કરનાર તરીકેની કડક છાપ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં આવવું અને ટકવું અત્યત મુશ્કેલ મનાય છે. એમાં પણ એક વાર ગુડબુકમાં આવ્યા પછી નીકળી જવું અને ફરીથી તેમનાં માનીતાં બનવું તો અત્યત દોહ્યલું જ ગણાય એવા સંજોગોમાં ફરીથી સુનિલભાઈએ નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસુ તરીકેની છાપ ઉભી કરી છે અને કોઈ પણ ચૂંટણીઓમાં પ્રચાર અભિયાનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે નરેન્દ્રભાઈએ બનારસથી ઉમેદવારી 2014માં કરી તે સમયે ત્યાં ધામા નાંખીને ગ્રાઉન્ડ ઊભું કરવાની કામગીરી માટેની પહેલી ટીમમાં સુનિલ ઓઝા હતા