ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ . જેમાં શ્રીમતી રૈયાબેન મિયાણી (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર)નાં અધ્યક્ષસ્થાને આયોજન થયું.જે કાર્યક્રમમાં શ્રી મંગાભાઈ બાબરીયા (ચેરમેનશ્રી, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ) તથા શ્રી રમેશભાઈ ગોયાણી (ચેરમેનશ્રી ,APMC ગારીયાધાર), શ્રી હરજીભાઈ વણજારા, (સદસ્યશ્રી ,જિલ્લા પંચાયત ભાવનગર)હાજર રહ્યા. તેમજ ઉપરોકત શિબિરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનાં નાયબ પશુપાલન નિમામક શ્રી ડો. કે.એચ.બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એચ. એસ. ખેર હાજર રહ્યા જેમણે પશુપાલકોને પશુ આરોગ્ય વિશે સમજૂતી આપી પશુ દવાખાના ગારીયાધાર ની સમગ્ર ટીમ અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડો. આર. આર. જાળેલા દ્વારા કામગીરી કરવામા આવી. ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૫ લાભાર્થીઓને પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ, સ્વરછ દુધ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં અન્ય પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા.