સોમવારે શોપિયાના છોટાપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં 1 વ્યક્તિના મોત અને 1 વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકો અને ઘાયલ બંને લઘુમતી સમુદાય (કાશ્મીરી પંડિતો)ના છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોનની પોલીસનું કહેવું છે કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.