મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહ ની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ દ્વારા લાખણી તાલુકાના પેપળુ ગામે પોષણ માહની ઉજવણી અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. પ્રીતિબેન દવે, મદદનીશ પ્રાધ્યાપક, આસ્પી કોલેજ ઓફ ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓને સમતોલ આહાર અને પોષણ ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓમાં લોહ તત્વની ઉણપ દૂર કરવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈયે તે વિશે જણાવેલ. તેઓએ જણાવેલ કે લોકોએ આહરમાં પ્રોટીનયુક્ત આહાર નિયમિત લેવો જોઈયે. કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, ભાઈઓ, આંગણવાડી કાર્યકર્તા મળીને ૪૭ લોકો હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પી.બી.સિંહના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલ.