દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયા હતાં ત્યારે દાહોદ મુકામે,  ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) તેઓના ઘરે પોતાનો ૧૯ વર્ષિય પુત્ર મુસાબભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ કોઈક અદાવત કે કોઈક કારણોસર ૧૯ વર્ષિય મુસાબભાઈને તેના ઘરમાંજ મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસને થતાં તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાબભાઈની હત્યા કરી અજાણ્યા હત્યારાઓએ યુવકને રૂમમાં બંધ કરી ફરાર થઈ ગયાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, યુવક અભ્યાસની સાથે સાથે પીઓપીનું કામ પણ કરતો હતો ત્યારે પોલીસે યુવકના મૃતદેહને નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરૂ મેળવા માટે ચક્રોગતિમાન કર્યા છે