સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં તસ્કરો ત્રાટકયા હતા અને તીર્થંકર ભગવાન શાંતિનાથ દાદાની પંચ ધાતુની મુર્તી તથા રોકડ મળી કુલ રૂ. 4 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા છે. દેરાસરના ટ્રસ્ટીએ લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન અને માતાજીના મંદિરો પણ સુરક્ષિત નથી. જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાજીના મંદિરે અવારનવાર ચોરીનો બનાવ બને છે.જયારે થોડા દિવસ પહેલા લખતરના દેવળીયા ગામે પુજારીના ઘરેથી રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના ઘરેણાં ચોરાયા હતા. ત્યારે લખતરના વણામાં જિનાલયમાં ચોરીની ઘટના બની છે.મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં રમેશભાઈ નરોત્તમભાઈ ચૌહાણ પુજારી તરીકે છે. તેઓ સાંજે જિનાલયને તાળુ મારી ચાવી સાથે લઈ જાય છે. તા. 12મીના રોજ સવારે તેઓ દેરાસરને જતા તાળા તુટેલા જોવા મળ્યા હતા. આથી તેઓએ સુરેન્દ્રનગર રહેતા જિનાલયના ટ્રસ્ટી પ્રકાશભાઈ ત્રંબકલાલ ધોળકીયાને ફોન કરતા તેઓ દોડી ગયા હતા.તપાસ કરતા તીર્થંકર ભગવાન શાંતીનાથ દાદાની પંચધાતુની મૂર્તી જેની કિંમત આંકી ન શકાય પરંતુ હાલ તેનું બજાર મુલ્ય 3 હજાર અને રોકડા રૂપીયા 1 હજાર મળી કુલ રૂપીયા 4 હજારની મત્તા ચોરાઈ હતી. ચોરી અંગે લખતર પોલીસ મથકે પ્રકાશભાઈ ધોળકીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उपखण्ड अधिकारी ने किया जलापूर्ति व्यवस्था का निरीक्षण
उपखण्ड अधिकारी, बून्दी दीपक मित्तल, अधिशाषी अभियंता, सहायक व कनिष्ठ अभियन्ता ने शनिवार को वार्ड...
Madhya Pradesh: मुख्यमंत्री Shivraj Singh Chauhan ने Congress पर साधा निशाना | Aaj Tak News
Madhya Pradesh: मुख्यमंत्री Shivraj Singh Chauhan ने Congress पर साधा निशाना | Aaj Tak News
શિક્ષકો ની માંગ જૂની પેન્શન યોજના લાગુ કરો ઇલેક્સન માં મતદાન નો બહિષ્કાર કરવાની અપાઈ ચીમકી
શિક્ષકો ની માંગ જૂની પેન્શન યોજના લાગુ કરો ઇલેક્સન માં મતદાન નો બહિષ્કાર કરવાની અપાઈ ચીમકી
बावलगाव येथील शेतकऱ्यास पाच जणांनी संगणमत करून केली मारहाण पाच जनावर ग्रामीण पोलीसात गुन्हा दाखल
बावलगाव येथील शेतकऱ्यास पाच जणांनी संगणमत करून केली मारहाण पाच जनावर ग्रामीण पोलीसात गुन्हा दाखल