સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં તસ્કરો ત્રાટકયા હતા અને તીર્થંકર ભગવાન શાંતિનાથ દાદાની પંચ ધાતુની મુર્તી તથા રોકડ મળી કુલ રૂ. 4 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા છે. દેરાસરના ટ્રસ્ટીએ લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન અને માતાજીના મંદિરો પણ સુરક્ષિત નથી. જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાજીના મંદિરે અવારનવાર ચોરીનો બનાવ બને છે.જયારે થોડા દિવસ પહેલા લખતરના દેવળીયા ગામે પુજારીના ઘરેથી રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના ઘરેણાં ચોરાયા હતા. ત્યારે લખતરના વણામાં જિનાલયમાં ચોરીની ઘટના બની છે.મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં રમેશભાઈ નરોત્તમભાઈ ચૌહાણ પુજારી તરીકે છે. તેઓ સાંજે જિનાલયને તાળુ મારી ચાવી સાથે લઈ જાય છે. તા. 12મીના રોજ સવારે તેઓ દેરાસરને જતા તાળા તુટેલા જોવા મળ્યા હતા. આથી તેઓએ સુરેન્દ્રનગર રહેતા જિનાલયના ટ્રસ્ટી પ્રકાશભાઈ ત્રંબકલાલ ધોળકીયાને ફોન કરતા તેઓ દોડી ગયા હતા.તપાસ કરતા તીર્થંકર ભગવાન શાંતીનાથ દાદાની પંચધાતુની મૂર્તી જેની કિંમત આંકી ન શકાય પરંતુ હાલ તેનું બજાર મુલ્ય 3 હજાર અને રોકડા રૂપીયા 1 હજાર મળી કુલ રૂપીયા 4 હજારની મત્તા ચોરાઈ હતી. ચોરી અંગે લખતર પોલીસ મથકે પ્રકાશભાઈ ધોળકીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কামৰূপৰ বালিসত্ৰত বালিতে বান্ধিলা বাহা উন্মোচন
কামৰূপ জিলাৰ ঐতিহাসিক বালিসত্ৰ সৎসংগী সত্ৰত আজি দিনৰ ভাগত উত্তৰ হাজো জ্যেষ্ঠ নাগৰিক মঞ্চ আৰু...
કોબ્રાથી ભરેલ પાંજરું સાફ કરતી મહિલા જોવા મળી, વિડિયો થયો વાયરલ
જો માણસની સામે સાપ આવે તો તેની પ્રતિક્રિયા શું હશે? અલબત્ત આ એક મૂર્ખ પ્રશ્ન છે કારણ કે સાપને...
ગાભોઇ માં જીવતી દાટી દીધેલ બાળકી નું સારવાર દરમિયાન મોત.
સમગ્ર ગુજરાત માં ચર્ચાનો વિષય બનેલ અને ફીટકાર ની લાગણી વાળો આ બનાવ હિંમતનગર થી 15 કિલોમીટર દૂર...
শিৱসাগৰ জিলা মহিলা কংগ্ৰেছৰ সভানেত্ৰী হিচাপে দায়িত্বভাৰ গ্ৰহন ভাৰতী শইকীয়াৰ।
শণিবাৰে শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত ৰাজীৱ ভৱনত এক গাম্ভীৰ্য্যপূৰ্ণ কাৰ্য্যসূচীৰে শিৱসাগৰ জিলা...
पालकमंत्री अब्दुल सत्तार व आमदार नवघरे यांच्यात शाब्दिक चकमक
पालकमंत्री अब्दुल सत्तार व आमदार नवघरे यांच्यात शाब्दिक चकमक