સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં તસ્કરો ત્રાટકયા હતા અને તીર્થંકર ભગવાન શાંતિનાથ દાદાની પંચ ધાતુની મુર્તી તથા રોકડ મળી કુલ રૂ. 4 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા છે. દેરાસરના ટ્રસ્ટીએ લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન અને માતાજીના મંદિરો પણ સુરક્ષિત નથી. જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાજીના મંદિરે અવારનવાર ચોરીનો બનાવ બને છે.જયારે થોડા દિવસ પહેલા લખતરના દેવળીયા ગામે પુજારીના ઘરેથી રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના ઘરેણાં ચોરાયા હતા. ત્યારે લખતરના વણામાં જિનાલયમાં ચોરીની ઘટના બની છે.મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામે આવેલ જિનાલયમાં રમેશભાઈ નરોત્તમભાઈ ચૌહાણ પુજારી તરીકે છે. તેઓ સાંજે જિનાલયને તાળુ મારી ચાવી સાથે લઈ જાય છે. તા. 12મીના રોજ સવારે તેઓ દેરાસરને જતા તાળા તુટેલા જોવા મળ્યા હતા. આથી તેઓએ સુરેન્દ્રનગર રહેતા જિનાલયના ટ્રસ્ટી પ્રકાશભાઈ ત્રંબકલાલ ધોળકીયાને ફોન કરતા તેઓ દોડી ગયા હતા.તપાસ કરતા તીર્થંકર ભગવાન શાંતીનાથ દાદાની પંચધાતુની મૂર્તી જેની કિંમત આંકી ન શકાય પરંતુ હાલ તેનું બજાર મુલ્ય 3 હજાર અને રોકડા રૂપીયા 1 હજાર મળી કુલ રૂપીયા 4 હજારની મત્તા ચોરાઈ હતી. ચોરી અંગે લખતર પોલીસ મથકે પ્રકાશભાઈ ધોળકીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ વાય.પી.પટેલ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાલબતીવાળા મામાદેવ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયા.કેમ્પમાં 1000 દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાય
પોરબંદરની અંદર વર્ષોથી માનવસેવા એજ પ્રભુસેવાના મંત્ર સાથે કામ કરતી સંસ્થા એટલે લાલબત્તીવાળા...
અપહરણ / પોકસો ના ગુન્હાના આરોપીને પકડી તથા ભોગબનનારને શોધી કાઢતી ધારી પોલીસ ટીમ.
ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત :: ( ૧ ) દિનેશભાઇ ભુટાભાઇ વાધેલા રહે.માયાપાદર, તા.કુંકાવાવ...
ધારી ના શેલ ખંભાળિયા ગામના ખેતરમા દેશી પીવાનો દારૂ પકડી પાડતી ચલાલા પોલીસ
બાતમીદારથી ચલાલા પોલીસ ને મળેલ બાતમી માહીતી અનુસન્ધાને ચલાલા પો.સ્ટે વિસ્તારના ખંભાળીયા ગામની...
বৰহোলাৰ বেকাজানত চকু পৰীক্ষা শিবিৰ
বৰহোলাৰ বেকাজানত আজি অনুষ্ঠিত হয় এক চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰ। শিবিৰটোত অঞ্চলটোৰ...
મહુવા નૂતન નગર વિસ્તારમાં પુત્રના આઘાતમાં દંપતિનો ગળાફાંસો ખાઈ આપઘાત
મહુવા નૂતન નગર વિસ્તારમાં પુત્રના આઘાતમાં દંપતિનો ગળાફાંસો ખાઈ આપઘાત