સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અનેક લોકોને મુસાફરીનો લાભ મળે છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેન નં. 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી વન વે todનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેનને 11-09-2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.હવે તેની દોડવાની સમય મર્યાદા વધારીને 11-11-2024 કરવામાં આવી છે. હવે આ ટ્રેન 12 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આમ સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા મુસાફરી કરતા મુસાફરોને પશ્ચિમ આ સુવિધાનો લાભ મળશે.