ગોધરા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ભલાણીયા ચોકડી (દામોદરદાસ ચોકડી) મુકામે વેજલપુર-મહેલોલ રોડ પર લગભગ 40 વર્ષ જેટલું જૂનું ઈંટ સિમેન્ટના ચણતરવાળુ અંત્યંત જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ આવેલ છે. સદર બસ સ્ટેન્ડનો ઉપયોગ કરવા આજુબાજુના ગામો જેવાકે જીતપુરા, ભલાણિયા ચોકડી, ભલાણીયા ગામ, ખરસાલિયા સ્ટેશન, લાડુપૂરા, સરદારપુરા, તોરણા, ભાટપુરા, નાની ભાદરોલી, મોટી ભાદરોલી, તરસૂરિયા, મોકળ, ભાણપુરા, રણછોડપુરા ઘોડા વગેરે ગામોના વિધ્યાર્થીઓ, અન્ય મુસાફરો અને કામદારો કરે છે, નજીકમાં 600 ગાયો ઉપરાંત ભેંસો બકરાં ઘેટાં વગેરે મળી લગભગ 4,000 પશુઓની સતત અવરજવર રહે છે.સદર બસ સ્ટેન્ડમાં સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી બચવા માટે દર વર્ષે અમો ગ્રામજનો સ્વૈછિક સાફ સફાઇ કરી છાણ-ગાર-માટીથી દીવાલો લીંપણ કરીકરીને તિરાડો પુરવામા આવે છે, પરંતુ ઈંટ સિમેન્ટના ચણતરની મોટી તિરાડોમાં માટી પુરવાથી તેની મજબૂતીમાં વધારો થવાનો નથી.તાજેતરમાં સુરત તક્ષશિલા કાંડ, વડોદરા હરણી બોટકાંડ, વડોદરા શાળા બિલ્ડિંગ ઘટના, મોરબી પુલ કાંડ, રાજકોટ ગેમઝોન કાંડ વગેરે જેવી દુર્ઘટનાઓ સતત બની છે, જેમાં સલામતીના અભાવે કેટલાયે નિર્દોષ ભોગ બન્યા છે. સદર બસસ્ટેન્ડની છતમાંથી સતત પોપડા ખરે છે, અને ગમ્મે ત્યારે ધરાશાયી થશે જ, તેમાં ઘણા નિર્દોષ વિધ્યાર્થીઓ, બાળકો, મુસાફરો અને અબોલ પશુઓની જિંદગીઓનો ભોગ લેવાઈ જવાની પ્રબળ શક્યતાઓ છે.પરંતુ PREVENTION IS BATTER THAN CURE ઉક્તિ મુજબ સદર બનવાજોગ દુર્ઘટના બનતી રોકી શકીએ તેમ છીએ, આથી આ જર્જરિત બસસ્ટેન્ડ તાત્કાલિક તોડી પાડવાની તમામ કાર્યવાહીઓ સત્વરે હાથ ધરાવવા જાગૃત નાગરીક ગોપાલભાઈ પટેલ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી સહિત માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ ને નકલ મોકલી રજૂઆત કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ ৰাছিপাথাৰ খেলপথাৰত অনুষ্ঠিত হল প্ৰাইজমাণি ফুটবল প্ৰতিযোগীতা চুড়ান্ত খেল
মৰাণ ৰাছিপাথাৰ খেলপথাৰত অনুষ্ঠিত হল প্ৰাইজমাণি ফুটবল প্ৰতিযোগীতা চুড়ান্ত খেল
Spreading wrong information about Manish Sisodia's property valuation is incorrect-AAP
Addressing a press conference held at the Aam Aadmi Party's media office, State Working President...
Breaking News: PM Modi के ध्यान लगाने पर Akhilesh Yadav ने साधा निशाना, कही बड़ी बात | Aaj Tak
Breaking News: PM Modi के ध्यान लगाने पर Akhilesh Yadav ने साधा निशाना, कही बड़ी बात | Aaj Tak
નિર્ણય || ડીસાનું માર્કેટયાર્ડ બંધ રહેશે...
નિર્ણય || ડીસાનું માર્કેટયાર્ડ બંધ રહેશે...
Loudspeaker Ban Before Namaz LIVE : जुमे की नमाज से पहले लाउडस्पीकर बैन, मचा हड़कंप!| Breaking
Loudspeaker Ban Before Namaz LIVE : जुमे की नमाज से पहले लाउडस्पीकर बैन, मचा हड़कंप!| Breaking