તળાજાના પાદરી ગામ નજીક સિધ્ધનાથ મહાદેવ સમુદ્રમાં બિરાજમાન ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં સોમવાર સવારથી પ્રારંભ થયેલા ભાતીગળ લોક મેળાનું આજે સવારે સમુદ્ર સ્નાન સાથે સમાપન થયું હતું. સોમવતી અમાસના પર્વે દૂર દૂરથી સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પહોંચી મહાદેવના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કર્યું હતું અને પોતાની જાતને ધન્ય કરી હતી. ભાદરવી અમાસને લઈને પાદરીએ આવેલા ગામે સિધ્ધનાથ મહાદેવના દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગત સવારથી મેળાનો આરંભ થયો હતો. આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂર દૂર થી ઉમટી પડયા હતાં અને સવારેથી જાણે કિડિયારૂ ઉભરાયુ હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું.