સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ચેઇન સ્નેચીંગના બે આરોપીઓ રૂ. 25,000ની સોનાની ચેન સાથે ઝડપાઇ ગયા છે. જેમાં જોરાવરનગર પોલીસે નૈત્રમ સુરેન્દ્રનગરની મદદથી ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓને દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ગત તા. 27/5/2023ના રોજ બે શખ્સ ચેઇન સ્નેચીંગ કરી એક મહિલાના ગળામાંથી રૂ. 25,000ની કિંમતનો આશરે સવા તોલા સોનાનો ચેઇન તફડાવીને ફરાર થઇ ગયા હતા. ત્યારે જોરાવરનગર પોલીસે ફરીયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી નૈત્રમ સુરેન્દ્રનગરની મદદથી વિવિધ સીસીટીવી ફુટેજ અને બનાવની જગ્યાના આજુબાજુના સીસીટીવી ફુટેજની મદદથી અને હ્યુમન ફોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અને આ ચેઇન સ્નેચીંગ કેસમાં આ ગુન્હાને અંજામ આપનારા સુરેન્દ્રનગરના વિજય પ્રભુદાસ દેસાણી જાતે-બાવાજી અને સુરેન્દ્રનગરના જ સચીનભાઇ જીતેન્દ્રભાઇ વાઘેલા જાતે-અનુસુચિત જાતિને રૂ. 25,000ની કિંમતના સવા તોલા સોનાની ચેન સાથે ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી વિજય પ્રભુદાસ દેસાણી વિરુદ્ધ સુરેન્દ્રનગર એ અને બી ડીવીઝનના મળીને બે ગુન્હા નોંધાયેલા છે. સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસના આ દરોડામાં પીએસઆઇ આર.જે.જાડેજા, ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ, સરદારસિંહ ઘનશ્યામસિંહ, મુળજીભાઇ બીજલભાઇ, પ્રવિણભાઇ કલ્યાણભાઇ, રોહિતભાઇ પરષોત્તમભાઇ, અનિલસિંહ નારસંગભાઇ, વિજયસિંહ માલાભાઇ અને સાહીલભાઇ મહંમદભાઇ સહિત જોરાવરનગર પોલીસના સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઇ આર.જે.જાડેજા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल बोले- कांग्रेस जाति जनगणना कराकर रहेगी:कहा- पीएम ने शिवाजी की मूर्ति में भ्रष्टाचार के लिए माफी मांगी
कांग्रेस सांसद राहुल गांधी और पार्टी अध्यक्ष मल्लिकार्जुन खड़गे आज महाराष्ट्र दौरे पर हैं। इस...
आजादी का।महापर्व आपसी भाईचारे का सौहार्द एव कौमी एकता का प्रतीक:-पूर्व मंत्री आंजना
निम्बाहेड़ा
फ़रीद खान
"आज़ादी का यह महापर्व आपसी भाईचारा, सौहार्द एवं कौमी एकता का प्रतीक...
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ ખાતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરાઇ
આદિવાસી સમાજ શિક્ષણ મેળવી સામાજિક, કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ...
રાણકપુર પાટિયા પાસે ગોઝારા અક****સ્માતમાં ચાર યુવકોના પામેલ
રાણકપુર પાટિયા પાસે ગોઝારા અક****સ્માતમાં ચાર યુવકોના પામેલ
aurangabad : शिवसेनेच्या वतीने पारंपारिक पद्धतीने धूमधडाक्यात तुळशी विवाह साजरा
aurangabad : शिवसेनेच्या वतीने पारंपारिक पद्धतीने धूमधडाक्यात तुळशी विवाह साजरा