ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત હમીરકા વચ્ચે વડીલોપાર્જીત મિલ્કત બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અકરમે ઈકબાલ પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પીટલ ખાતે ઈકબાલનું મોત નીપજ્યું હતું. જે અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આરોપી અકરમને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા હત્યાનીપજાવનાર અકરમ સોકત હમીરકાને આજીવન કેદની સજા ફટકારી છે.