ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે પૌરાણિક માલકેશ્વર મહાદેવ ત્રિરંગો થી સુશોભન કરવામાં આવ્યું.

ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે પૌરાણિક શિવ મંદિર આવેલ છે જેને માલકેશ્વર મહાદેવ નામથી જાણીતું છે આસ્થાના પ્રતિક રૂપે અહી સાક્ષાત અનુભવ થાય છેશ્રાવણ માસમાં દર સોમવારે મંદિરને વિશેષ સુશોભન કરવામાં આવે છે.રાત્રે દીપમાળા માં ભાવિક ભક્તો ઉમટી પડે છે તો બીજી તરફ બહેનો ની ધુન મંડળ પણ ધુમ મચાવે છે. આજ રોજ 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર દિન નિમિતે પૌરાણિક માલકેશ્વર મહાદેવને ત્રિરંગો થી સુશોભન કરવામાં આવ્યું હતું.આ સુશોભનમાં મંદિરના પુજારી વિજયભારથી ગોસાઈ તેમજ ભાવેશભારથી ગોસાઈ તેમજ ભાવિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.