દસાડામાં ગૌચર જમીનમાં ગતરાત્રે આગ લાગી હતી. જેથી આઠથી દશ ખેડૂતોની અંદાજે રૂ. ત્રણેક લાખનો ચારો અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.દસાડા ભુતિયાવાડ સીમમાં આવેલી ગૌચર જમીનમાં ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દસાડા ગામના આઠથી દશ ખેડૂતોએ મુકેલી જારના પૂળા અને એરંડાના જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ખેડૂતો સહિતના ગામ આગેવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવતા ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ માંડ કાબુમાં આવી હતી.આ ભયાવહ આગની ઘટનામાં દસાડા ગામના આઠથી દશ જેટલા ખેડૂતોના અંદાજે રૂ. ત્રણેક લાખની ચાર અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.આ અંગે દસાડા ગામના અસરગ્રસ્ત ખેડૂત આગેવાન વેરશીભાઇ ડેડવાડીયા, નાનજીભાઈ મકવાણા અને સેંધાભાઈ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું કે, દસાડાની ગૌચર જમીનમાં મુકેલા અમારા જારના પૂળા અને એરંડાના જથ્થામાં ભયાવહ આગ લાગતા અમારા અંદાજે રૂ. ત્રણેક લાખની કિંમતના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. તો આ ઘટનામાં કોઈ એ જાણી જોઈને આગ લગાવી હોવાની આશંકાએ અમેં દસાડાના સરપંચને રૂબરૂ મળીને રજૂઆત કરવાની સાથે આ ઘટના બાબતે ન્યાયિક તપાસ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરમાં ચોરીની આશંકાએ યુવકને ઢોર માર મારતાં મોત
#buletinindia #gujarat #vadodara
एग्जिट पोल जैसे नहीं दिख रहे है नतीजे,बीजेपी को तगड़ा झटका लगता दिख रहा
लोकसभा चुनाव में काउंटिंग जैसे-जैसे आगे बढ़ रही शुरूआती रुझानों में केंद्र की सत्ताधारी एनडीए को...
ધાનેરામાં ક્રિકેટ રમતાં આશાસ્પદ યુવકનું હાર્ટએટેકથી મોત
ધાનેરામાં રવિવારે ક્રિકેટ રમતા 17 વર્ષના યુવાનને હાર્ટએટેક આવ્યો હતો. જેમને ધાનેરાથી પાલનપુર...
Foreign Minister S Jaishankar Interview: China और Pakistan को लेकर क्या बोले विदेश मंत्री? | Part-2
Foreign Minister S Jaishankar Interview: China और Pakistan को लेकर क्या बोले विदेश मंत्री? | Part-2
સ્પ્લેન્ડર બાઈક,૪ મોબાઇલ સાથે,૨ ઈસમો ઝડપાયા સરદાર નગર,ખોખરા પોલીસના ચોરીના ભેદ ઉકેલતી ક્રાઇમબ્રાન્ચ
સ્પ્લેન્ડર બાઈક,૪ મોબાઇલ સાથે,૨ ઈસમો ઝડપાયા સરદાર નગર,ખોખરા પોલીસના ચોરીના ભેદ ઉકેલતી ક્રાઇમબ્રાન્ચ