દસાડામાં ગૌચર જમીનમાં ગતરાત્રે આગ લાગી હતી. જેથી આઠથી દશ ખેડૂતોની અંદાજે રૂ. ત્રણેક લાખનો ચારો અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.દસાડા ભુતિયાવાડ સીમમાં આવેલી ગૌચર જમીનમાં ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દસાડા ગામના આઠથી દશ ખેડૂતોએ મુકેલી જારના પૂળા અને એરંડાના જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ખેડૂતો સહિતના ગામ આગેવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવતા ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ માંડ કાબુમાં આવી હતી.આ ભયાવહ આગની ઘટનામાં દસાડા ગામના આઠથી દશ જેટલા ખેડૂતોના અંદાજે રૂ. ત્રણેક લાખની ચાર અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.આ અંગે દસાડા ગામના અસરગ્રસ્ત ખેડૂત આગેવાન વેરશીભાઇ ડેડવાડીયા, નાનજીભાઈ મકવાણા અને સેંધાભાઈ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું કે, દસાડાની ગૌચર જમીનમાં મુકેલા અમારા જારના પૂળા અને એરંડાના જથ્થામાં ભયાવહ આગ લાગતા અમારા અંદાજે રૂ. ત્રણેક લાખની કિંમતના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. તો આ ઘટનામાં કોઈ એ જાણી જોઈને આગ લગાવી હોવાની આશંકાએ અમેં દસાડાના સરપંચને રૂબરૂ મળીને રજૂઆત કરવાની સાથે આ ઘટના બાબતે ન્યાયિક તપાસ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ઉતર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને વાહન ચાલકો સાથે બેઠક યોજાઈ..
ડીસા ઉતર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને વાહન ચાલકો સાથે બેઠક યોજાઈ..
સમગ્ર દેશમાં અંદાજે સવા કરોડ ઘર લોકોને આપવામાં આવ્યા, 2014 પહેલા ગરીબોના ઘર માટે 20 હજાર કરોડની જોગવાઇ હતી - PM મોદી
આજરોજ ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો રાષ્ટ્રીય મેયર...
মাজুলীত অসম আৰক্ষী দিৱস পালন
আজি অসম আৰক্ষী দিৱস। মাজুলীতো আজি পালন কৰা হৈছে অসম আৰক্ষী দিৱস।
વીજ પુરવઠો બંધ રહેશે
વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર
આવતીકાલે તા. 14.05.24 ના રોજ દાહોદ શહેરના ૧૧ કેવી...