દસાડામાં ગૌચર જમીનમાં ગતરાત્રે આગ લાગી હતી. જેથી આઠથી દશ ખેડૂતોની અંદાજે રૂ. ત્રણેક લાખનો ચારો અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.દસાડા ભુતિયાવાડ સીમમાં આવેલી ગૌચર જમીનમાં ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દસાડા ગામના આઠથી દશ ખેડૂતોએ મુકેલી જારના પૂળા અને એરંડાના જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ખેડૂતો સહિતના ગામ આગેવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવતા ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ માંડ કાબુમાં આવી હતી.આ ભયાવહ આગની ઘટનામાં દસાડા ગામના આઠથી દશ જેટલા ખેડૂતોના અંદાજે રૂ. ત્રણેક લાખની ચાર અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.આ અંગે દસાડા ગામના અસરગ્રસ્ત ખેડૂત આગેવાન વેરશીભાઇ ડેડવાડીયા, નાનજીભાઈ મકવાણા અને સેંધાભાઈ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું કે, દસાડાની ગૌચર જમીનમાં મુકેલા અમારા જારના પૂળા અને એરંડાના જથ્થામાં ભયાવહ આગ લાગતા અમારા અંદાજે રૂ. ત્રણેક લાખની કિંમતના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. તો આ ઘટનામાં કોઈ એ જાણી જોઈને આગ લગાવી હોવાની આશંકાએ અમેં દસાડાના સરપંચને રૂબરૂ મળીને રજૂઆત કરવાની સાથે આ ઘટના બાબતે ન્યાયિક તપાસ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સૂત્રોની મળતી માહિતી મુજબ સમાજવાદી પાર્ટી ના ૮૨ દ્વારકા વિધાનસભાના ઉમેદવાર ટૂંક સમયમાં જાહેર થશે ,
સૂત્રોની મળતી માહિતી મુજબ સમાજવાદી પાર્ટી ના ૮૨ દ્વારકા વિધાનસભાના ઉમેદવાર ટૂંક સમયમાં જાહેર થશે ,
Benefits of Roasted Chana | भुना हुआ चना खाने के 12 फायदे | Roasted Chana ke faayde by Anurag Rishi
Benefits of Roasted Chana | भुना हुआ चना खाने के 12 फायदे | Roasted Chana ke faayde by Anurag Rishi
EC ने सुप्रिया श्रीनेत और दिलीप घोष को कारण बताओ नोटिस भेजा, कंगना और ममता पर की थी अभद्र टिप्पणी
नई दिल्ली। कांग्रेस नेता सुप्रिया श्रीनेत और भाजपा सांसद दिलीप घोष को भारत निर्वाचन...
ડીસા થી નાગોર અમરપુરા ધામ બીજી પગપાળા યાત્રા સંઘનું ડીસાના ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું ||
ડીસા થી નાગોર અમરપુરા ધામ બીજી પગપાળા યાત્રા સંઘનું ડીસાના ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું ||
The CRAZY Side-Effects of Steroids
The CRAZY Side-Effects of Steroids