આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.