ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર પાસેથી રૂા.૪,૭૦,૦૦૦ની રકમ ૮ ટકા વ્યાજે લીધી હતી .આ રકમ વ્યાજ સહીત ચૂકવી દીધી હોવા છતાં ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર, રવીરાજભાઈ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ એક કાર લઇ ધસી આવ્યા હતા .અને સંજયભાઇના પત્નિ તેમની માતા અને બે બાળકોને છરી બતાવી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાં હતા અને થોડા સમય બાદ રસ્તા પર ઉતારી અપહરણકારો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકો ૩ અપહરણકારો પૈકી ભગીરથભાઇ ઉર્ફે ભગી ભાભલુભાઇ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ ઘાઘલને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલા કાર તેમજ છરી સહીતના મુદ્દામાલ સાથે ચીરોડા ગામ નજીકથી ઝડપી લઇ બન્ને શખ્સોની વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.