સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં આવેલા ચાર માળીયામાં અગાઉના ઝઘડાના મનદુખ બાબતે દંપતિએ માતા અને પુત્ર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેમજ જે રિક્ષા લઇને આવ્યા હતા તે રિક્ષા પર કુહાડી તેમજ લાકડાના ધોકાના આડેધડ ઘા ઝીંકી રિક્ષામાં પણ નુકસાન કર્યું છે. જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવાને એ-ડિવિઝન પોલીસ મથકે દંપતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં રહેતા ઇમરાનભાઇ ફીરોઝભાઇ મુલતાની તેમની માતા અને બાળકો સાથે રિક્ષામાં બેસી ફીરદોષ સોસાયટી ચાર માળીયામાં આવેલા તેમના મકાને ગયા હતા તે દરમિયાન ત્યાં ચાર માળીયામાં જ રહેતા આબીદભાઇ અને તેમના પત્ની ઇમરાનભાઇ અને તેમની માતાને બેફામ ગાળો દેવા લાગતા ઇમરાનભાઇએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આબીદભાઇ અને તેમના પત્નીએ ઢીકાપાટુનો માર મારી કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલાનાો પ્રયાસ કર્યો હતો આથી ઈમરાનભાઇ તેમના માતા અને બાળકો સાથે ત્યાંથી દુર જતાં રહ્યાં હતા ત્યારે આબીદભાઇ અને તેમના પત્નીએ કુહાડી અને લાકડાના ધોકા વડે રિક્ષા પર આડેધડ ઘા ઝીંકી રિક્ષાને પણ નુકસાન કર્યું હતું તેમજ ઇમરાનભાઈ તેમના પરિવાર અને રિક્ષા ચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇમરાનભાઇએ આબીદભાઇ તેમજ આબીદભાઇના પત્ની વિરૂધ્ધ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh Election 2023: छत्तीसगढ़ में BJP को युवा चेहरों का बड़ा योगदान मिला | Aaj Tak News
Chhattisgarh Election 2023: छत्तीसगढ़ में BJP को युवा चेहरों का बड़ा योगदान मिला | Aaj Tak News
মাধৱ দেৱ তিথিৰ থাপনি পালন উত্তৰ কমলাবাৰী সত্ৰত।
মাধৱ দেৱ তিথিৰ থাপনি পালন উত্তৰ কমলাবাৰী সত্ৰত।
DIY FLAXSEED GEL FOR HAIR GROWTH | How To Make Homemade Flaxseed Gel For Curly And Straight Hair
DIY FLAXSEED GEL FOR HAIR GROWTH | How To Make Homemade Flaxseed Gel For Curly And Straight Hair
સુરેન્દ્રનગર શહેરના તમામ મુખ્ય સ્થળો, બજારો, કોમ્પ્લેક્સ ઘર સહિતની જગ્યા ઉપર તિરંગો લહેરાતો જોવા મળ્યો
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં સર્વત્ર તિરંગો છવાયો હતો. આઝાદીનો અમૃત મહોત્સવ...
জেএমএমৰ উৎকোচ গোচৰত '৯৮ চনৰ ৰায় পুনৰ পৰীক্ষা কৰিব এছচি; ৭ জনীয়া বিচাৰপীঠ গঠন
উচচতম ন্যায়ালয়ে ১৯৯৮ চনৰ পি ভি নৰসিংহ ৰাও গোচৰৰ ৰায়দান পুনৰ পৰীক্ষা কৰিবলৈ সন্মত হয়,...