ગુજકેટની પરીક્ષા આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૪ ના રોજ યોજાશે

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) ૨૦૨૪ની પરીક્ષા આગામી તા. ૩૧ માર્ચ ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૪.૦૦ ના સમયગારા દરમિયાન યોજાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ( ગુજકેટ )ની પરીક્ષા હિંમતનગરની વિવિધ ૧૭ જેટલી શાળાઓના સેન્ટરોમાં યોજાશે 

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-૨૦૨૪ની પરીક્ષા તા.૦૨/૦૪/૨૦૨૪ ને મંગળવારના રોજ યોજવામાં આવનાર હતી.પરંતુ આ તારીખે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-૨૦૨૪ ની પરીક્ષા તા.૦૨/૦૪/૨૦૨૪ ના બદલે તા.૩૧/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ/વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધ લેવા વિનંતી છે. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.