દાહોદ : દાહોદના ઉકરડી ખાતે તા. ૨૭-૦૨-૨૦૨૪ ના રોજ દિલીપભાઈ રમણભાઈ માવીના કાળીયાવાળા ખેતરમાંથી કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) મૃતકની ઉંમર આશરે ૫૫ વર્ષ, પાતળો બાંધો, રંગે શ્યામ વર્ણ તેમજ શરીરે લાલ રંગનું સ્વેટર તથા કાળા રંગનું પેન્ટ પહેરેલું છે. મૃતકના વાલી વારસોને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન, રાબડાળ ખાતે ફોન નંબર ૦૨૬૭૩-૨૪૨૯૦૦ અથવા મો. નંબર ૬૩૫૯૬૨૭૦૭૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.