રાજ્યમાં પોલીસ વિભાગ ટેક્નોલોજી મામલે દિવસેને દિવસે અત્યાધુનિક સુવિધાથી સજ્જ થતું જોવા મળી રહ્યો છે, ગૃહવિભાગ દ્રારા ફરિયાદોનો નિકાલ લાવવા ડિજિટલ સેવાનું પ્રારંભ કર્યુ છે કેટલીક વખત ફરિયાદી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા જાય તો તેની ફરિયાદમાં લેવામાં પોલીસ દ્રારા પાછીપાની કરવામાં આવતી હોય છે તેને સાથે ઉદ્રતાઇભર્યુ વર્તન કરી ફરિયાદ નહી પણ માત્ર જાણવાજોગ ફરિયાદનું આગ્રહ રાખતા હોય છે જો કે હવે સરકારે નાગરિકો માટે મોકળો મેદાન આપ્યુ છે જેમાં ફરિયાદીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહી પડે

સ્રમગ રાજ્યના પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાની એફ આર પોર્ટલ પરથી ફરિયાદ જોઇ શકાતી હતી હવે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે આજે ગાંધીનગર ખાતેથી ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી અને રાજ્યના પોલીસવડા આશિષ ભટિયાના હસ્તે પાયલટ પ્રોજેકટ E- FIR વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે જેમાં હવેથી ફરિયાદી મોબાઇલ ફોન અને વાહનચોરીની ફરિયાદ ઓનલાઇન પોર્ટલ પર કરી શકાશે જેને લઇ ફરિયાદીનું સમયની સાથો-સાથ પોલીસે સ્ટેશન ધરમધક્કા પણ નહી ખાવા પડે ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવી નવા પ્રોજકેટ અંગે માહિતી આપતા કહ્યુ વડાપ્રઘાન નરેન્દ્રમોદીના દોરીસંચાર અને માર્ગર્શન મુજબ ગુજરાત દેશને એક નવી દિશા આપી રહ્યો છે

આજના આત્યધુનિક સમયમાં જનતાને કોઇ પણ કામ કરાવાવા લાઇનો લાગવુ પડે છે જેને લઇ નાગરિકોના સમયને મહત્વ આપી લાઇનો નહી ઓનલાઇન સંકલ્પ કર્યુ છે આ પોર્ટલ થકી ફરિયાદ નોંધાયાના 48 કલાકમાં પોલીસ દ્રારા ફરિયાદનું સંપર્ક કરવામાં આવશે ઓનલાઇન સેવાથી હવે નાગરિકો ઘર બેઠા ફરિયાદી નોંધાવી શકશે જેં ખૂબ લાભદાયી અને પોલીસ સ્ટેશનમાં 10થી 15 ટકા ભારણ ઘટશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યો છે