અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર વિભાગ-2 માંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યા પાછળ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે અને મહિલાના હત્યા પાછળ પતિનું ષડયંત્ર હોવાનું ખુલતા ઝોન 7 એલસીબી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ હત્યાના ષડયંત્રમાં હજી ફરાર ત્રણ આરોપીઓને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.