ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો.ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર રસાણા પાસે અકસ્માત માં એક વ્યક્તિનું મોત થયું છે. ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા જેન્તીભાઈ ગિરધરભાઈ માળી ફોટો અને વીડિયોગ્રાફીનો વ્યવસાય કરતા હતા. જેઓ કુંભલમેર ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીના ઓર્ડરમાં ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઈક લઈને પરત ડીસા તરફ આવી રહ્યા હતા. તેમજ રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈકને ટક્કર વાગતા રોડની સાઈડમાં આવેલી જાડીમાં ઘૂસી ગયું હતું. જ્યારે કાર પણ પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત માં બાઈક ચાલક જેન્તીભાઇ રોડ પર પટકાતા તેમને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેમનું કરુણ મોત થયુ હતું ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો પણ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે અંગે મૃતકના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરી ગાડી મૂકી નાસી થઈ જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Dahod | ભાજપ દ્વારા દેવગઢબારિયા વિધાનસભાની યોજાઈ બેઠક | Divyang News
#Dahod | ભાજપ દ્વારા દેવગઢબારિયા વિધાનસભાની યોજાઈ બેઠક | Divyang News
અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું
ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના મોત...
মৰাণৰ বাল্য বিকাশ বিদ্যালয়ত ছাত্ৰ ছাত্ৰীৰ সকলক লৈ ভুঁই ৰোৱাৰ আয়োজন
ৰাজ্যৰ বিদ্যালয় সমূহ এতিয়াও কি ভাষাত ছাত্ৰ ছাত্ৰীক পাঠ দান কৰিব তাক লৈ বিতৰ্কৰ চলি...
વર કે વરની પસંદગી સમયે માત્ર માંગલિક દોષને જ ન જોવો, જાણો શા માટે જાણીએ
સેલિબ્રિટી વાસ્તુ શાસ્ત્રી ડૉ સુમિત્રા અગ્રવાલ, કોલકાતા ઇન્ટરનેશનલ વાસ્તુ એકેડેમી સિટી...
ડીસાના જૂનાડીસાથી ઝાબડીયા તરફ જતાં રોડની પોલ ખુલી
બનાસકાંઠા જીલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જીલ્લા પંચાયત તરફથી ગ્રામ્ય વિસ્તારનો રોડ પેવરની...