લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલા એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશન નજીક કેનાલોમાંથી છાસવારે લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે ઢાંકી નજીક આવેલા એક નંબર પંપીંગ સ્ટેશન પાસેથી નર્મદાની કેનાલના પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે