વિકસિત ભારત @2047 અને મિલેટ અવેરનેસ ની થીમ પર આધારિત સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ની સાત દિવસની શિબિર ધોળાકુવા પ્રાથમિક શાળા ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકીની અધ્યક્ષતામાં શાળા ખાતે શુભારંભ થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત કામિનીબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે, આગામી સમય એ યુવાનોનો છે ત્યારે ચારિત્ર્યવાન વિદ્યાર્થી શ્રેષ્ઠ ભારતનું સર્જન કરી શકે છે, વધુમાં તેઓએ આપણી પરંપરા અનુસાર જાડા ધાન્ય કે જે મિલેટ તરીકે ઓળખાય છે જે અંગે વિદ્યાર્થીઓએ ગામના લોકોને જાગૃત કરી મિલેટનું ઉત્પાદન થાય તેવા પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે તારીખ 22 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પણ વિદ્યાર્થીઓને શાનદાર ઉજવણી કરી ઘરે રોશની કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી એ ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ લીડર કુ. નીશિ શાહ તથા આભારી વિધિ કુ. માનસી ખરાદીએ કરી હતી આ કેમ્પમાં એનએસએસના 50 વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રીમતી પુષ્પાબેન પટેલ તથા સ્ટાફે સુંદર સહકાર પૂરો પાડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sharad Pawar यांची सोलापुरात कुस्ती? Supriya Sule यांनी सत्तेत येण्याचं गमक सांगितलं | Solapur
Sharad Pawar यांची सोलापुरात कुस्ती? Supriya Sule यांनी सत्तेत येण्याचं गमक सांगितलं | Solapur
महिलेस आत्महत्येस प्रवर्त केल्याप्रकरणी उदगीर शहर पोलीस ठाण्यात गुन्हा दाखल
महिलेस आत्महत्येस प्रवर्त केल्याप्रकरणी उदगीर शहर पोलीस ठाण्यात गुन्हा दाखल
ભારત ના ચૂંટણીપંચ દ્વારા મહિસાગર વિધાનસભા માં સમાવિષ્ઠ પરથમપુર મથકે તારીખ 11/5/2024 ના રોજ પૂન : મતદાન કરવાનો નિર્ણય લેવાનો
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪
સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથકે ભારતના...
मुंबई टेस्ट- भारत पहली पारी में 263 रन पर ऑलआउट:दूसरी पारी में न्यूजीलैंड का पहला विकेट गिरा
भारतीय टीम न्यूजीलैंड के खिलाफ मुंबई टेस्ट की पहली पारी में 263 रन पर ऑलआउट हो गई है। वानखेड़े...