કાલોલ મુકામે નિશાચરો નિયમિત પણે સક્રિય હોવા છતાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓના બનાવોમાં મહદ અંશે ઘટાડો થયો તે મધ્યે વધુ એક ચિંતાજનક તસ્કારીના બનાવો સામે આવ્યા છે. હાલ ગાય અને ગૌ વંશની તસ્કરી સાથે સંકળાયેલા વિધર્મી ઈસમોએ કાલોલ નગરમાં પુનઃ સક્રિય થયા છે. થોડા સમય પૂર્વે જ ગાય અને ગૌ વંશની કાલોલ નગર મધ્યે પસાર થતાં હાઈ વે પરથી તસ્કરી થતી હોવાની બૂમો ઉઠી હતી તે અનુસંધાને સ્થાનિક પોલીસ અને ગૌ રક્ષકોએ અસરકારક અભિયાનો ચલાવતા ગૌ તસ્કરીના બનાવોમાં પણ ઘટવા પામ્યા હતા. હાલના તબક્કે શિયાળાની કાતિલ ઠંડીનો લાભ લઈ ગૌ તસ્કરો ફરીથી એક વખત સક્રિય બન્યા છે.ત્યારે શુક્રવારના રોજ કાલોલ ડેરોલ સ્ટેશન રોડ પર સૂપેડા હોસ્પિટલ સામે આવેલી સોસાયટીમાં વહેલી સવારે ૪ થી ૫ ના સમય ગાળા મા ૫ થી ૬ જેટલા ઈસમોએ સફેદ કલરની કાર મા ગૌ તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો વિડિયો વાયરલ થતાં સમસ્ત ગૌ પ્રેમીઓના હૈયા હચમચી ઊઠ્યો છે. વાઇરલ વીડિયોમાં લગભગ પાંચ જેટલા ઈસમો અંદાજિત 500 થી 700 કીલો વજનની ગાયને બળજબરી પૂર્વક એક મોટરકારમાં ઢસડી જતાં હોવાનું જણાઇ રહ્યું છે ગાડી નો નંબર પણ દેખાઈ રહ્યો છે.જોકે યેનકેન પ્રકારે સ્વ બચાવ માટે ઝઝૂમી રહેલી ગાયે તસ્કરોને મચક ન આપતા મોટરકારમાંથી બહાર કૂદી જઈ તસ્કરોનો ફેરો નિષ્ફળ બનાવ્યો હતો. સમગ્ર બનાવ સોસાયટીના જ એક મકાનમાં લાગેલા કેમેરામાં કેદ થતાં ઘટનાનો પર્દાફાશ થયો છે. ગાય હિન્દુ સનાતન ધર્મમાં માતા તરીકે સાર્વત્રિક પૂજાતી હોઈ પોલીસ હવે નિશાચરોની સાથે- સાથે ગૌ તસ્કરો બેફામ અને બેકાબૂ બને તે પૂર્વે ઉદાહરણ રૂપ કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara l શિનોર ખાતે વૈષ્ણવપરિવાર દ્વારા વનકુટ મહોત્સવની ઉજવણી l Divyang News
Vadodara l શિનોર ખાતે વૈષ્ણવપરિવાર દ્વારા વનકુટ મહોત્સવની ઉજવણી l Divyang News
बाबा रामदेव मंदिर पर श्री जगन्नाथ यात्रा प्रचार ढोल नगाड़ों के साथ पहुँचा, मंदिर की महिला मंडल समिति ने मंगल गीत गाकर स्वागत एवं अभिनंदन किया
बाबा रामदेव मंदिर पर श्री जगन्नाथ यात्रा प्रचार ढोल नगाड़ों के साथ पहुँचा, मंदिर की महिला मंडल...
MAHEMDAVAD:-વરસોલા ગામે પૂર્વ સરપંચ દ્વારા માટી ખનન આક્ષેપ લગાવ્યો.
મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામે પૂર્વ સરપંચ દ્વારા માટી ખનન આક્ષેપ લગાવ્યો...??!! તો હાલમાં સરપંચ...
નાળીયેર પાણીના ફાયદા જાણો ઘણી ખરી બિમારિઓ માટે છે ફાયદા કારક,
નાળિયેર પાણીના ફાયદાઓ જાણો, નાળિયેર પાણીનું સેવન ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને...
પાટીદાર સમાજ એકરૂપ બનવામાં અગ્રીમ
#buletinindia #gujarat #arvalli