શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત આ મહોત્સવ અંતર્ગત શુદ્ધાંદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાર્યા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રી એ વ્યસાસનથી પ્રેરક વચનામૃતો અને લૌકિક દ્રષ્ટાતોથી ઉપસ્થિત વૈષ્ણવજનને પુષ્ટિપ્રણેતા જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીની 84 બેઠકજીનું માહાત્મ્ય અને મહત્વ સમજાવ્યું હતું. કથા પ્રારંભના આજના પ્રથમ દિવસે પોથીજીને ભવ્ય શોભાયાત્રાથી કથા મંડપના સ્થળે પધરાવ્યા હતા. પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીના પ્રેરક સાંનિધ્યમાં સુધા સત્સંગ મંડળ ભવનથી નીકળેલ શોભાયાત્રા પરવડી - ગોહ્યા બજાર - રણછોડજી મંદિરના માર્ગે કથા મંડપમાં પહોંચી હતી જ્યાં પૂ. શ્રી નું સામૈયું અને વધામણાં લેવાયા હતા.શોભાયાત્રા દરમ્યાન કાલોલ વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો જ્યા માર્ગ મા ગુલાબ ની પુષ્પવર્ષા કરવામાં આવી હતી 17 માં પાટોત્સવના ઉપલક્ષમા આયોજીત કાર્યક્રમો અંતર્ગત આગામી તા. 3 જાન્યુ. સુધી દરરોજ બપોરના 3 થી 6 સુધી નિત્ય કથા રસપાન સમેત તા. 2 જાન્યુ. ના રોજ કથા સમય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પાટોત્સવ ના શુભ દિને મધ્યકાલે નંદ મહોત્સવ તથા તિલક આરતી અને નિત્ય કથા વિરામ બાદ 84 બેઠકજીના આબેહૂબ પ્રતિકૃતિના અલૌકિક દર્શન તથા સમસ્ત વૈષ્ણવજન માટે મહાપ્રસાદનો કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વરૂપે રાખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે કાલોલ મુકામે સમયના ટૂંકા ગાળામાં સતત બીજા પુષ્ટિમાર્ગીય મહા ઉત્સવને લઈ કાલોલ વૈષ્ણવ સમાજ સમસ્ત આનંદ વિભોર બન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દહેગામ થી નેરુ ચોકડી નજીક બન્યો બનાવ | SatyaNirbhay News Channel
દહેગામ થી નેરુ ચોકડી નજીક બન્યો બનાવ | SatyaNirbhay News Channel
बसपा पार्टीं के पूर्व मंत्री समाजवादी पार्टीं में शामिल हुए।
उत्तर प्रदेश लखनऊ में,बसपा पार्टीं के पूर्व मंत्री समाजवादी पार्टीं में शामिल हुए। सूत्रों से...
સોજીત્રા શહેરના ક્ષેમ કલ્યાણી માતાજી મંદિરે લોકમેળો ભરાયો
સોજીત્રા શહેરમાં વર્ષોની ક્ષેમ કલ્યાણી માતાજી મંદિરે પરંપરા મુજબ ગણેશ વિસર્જનના બીજા દિવસે...
সাপৰ খেল তিনিটা সাপ একেলগে কেনেকৈ খেলিছে চাওক
হোজাইৰ ঠেপ্লাগুৰিত এক নান্দনিক দৃশ্য । একেলগে কেনেকৈ খেলিছে চাওক তিনিটাকৈ সাপে । এই দৃশ্য...