મૂળી તાલુકાના લીયા ગામે બન્યો હતો. જેની મળતી વિગતો મુજબ મૂળી લીયા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા કિર્તિસિંહ ફતેહસિંહ રાણાને ગોદાવરી પાસે જીન આવેલ છે. જે હાલ બંધ હાલતમાં છે. જેમાં દિવસ રાત અલગ અલગ ચોકીદાર રહે છે. આ જીનમાં ગત તારીખ 1 ડિસેમ્બરે રાત્રે કોઇ અજાણ્યા શખસો પાછળનાં ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી તેમાં રહેલો કોપરના તાર ચોરી ગયા હતા. આથી અંદાજે 300 કિલો કિંમત 7500ની કોઇ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.