સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ રોડ પર શહેરી વિસ્તારોને પાણી પુરૂ પાડતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી પાલિકા તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે સમસ્યા સર્જાઈ હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના તમામ વોર્ડમાં સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ધોળીધજા ડેમ મારફતે પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર-ધોળીધજા રોડ પર શહેરી વિસ્તાર પાણી પુરૂ પાડતી પાઈપલાઈનમાં ભંગાણના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જ્યારે આ પાણી આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચતા રહિશો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અવાર-નવાર પાણી પહોંચાડતી પાઈપલાઈન તૂટી જવાના તેમજ લીકેજના બનાવો વધી રહ્યા હોવાથી પાલિકા તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ ઉઠયાં છે.સુરેન્દ્રનગર શહેરને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ રીઝર્વ ડેમ તરીકે જાહેર કર્યો હોવાથી બારે મહિના આ ડેમ છલોછલ પાણીથી ભરેલો હોવા છતાં શહેરી વિસ્તારમાં નિયમીત અને પુરતું પાણી મળતું ના હોવાની ફરિયાદો ઉઠે છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારો સુધી એક તરફ પીવાનું પાણી નથી મળી રહ્યું જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને લોકોને પાણી પુરૂ પાડતી પાઈપલાઈન નવી નાંખવામાં આવે અથવા યોગ્ય રીતે રીપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ননৈ চেৰফাংত বানপানীত বিধ্বস্ত পথ মেৰামতিত ব্যস্ত প্ৰাক্তন এম চি এল এ সুৰেশ তাঁতীয়ে
ননৈ চেৰফাংত বানপানীত বিধ্বস্ত পথ মেৰামতিত ব্যস্ত প্ৰাক্তন এম চি এল এ সুৰেশ তাঁতীয়ে
Protest on Hit and Run Law : हिट एंड रन मामले में हड़ताल का असर सब्जियों पर, बढ़ गए दाम। ABP LIVE
Protest on Hit and Run Law : हिट एंड रन मामले में हड़ताल का असर सब्जियों पर, बढ़ गए दाम। ABP LIVE
मालदीव के राष्ट्रपति मोहम्मद मुइज्जू से मिले केंद्रीय मंत्री एस जयशंकर, कहा - साथ मिलकर करेंगे काम
नई दिल्ली। रविवार को केंद्रीय मंत्री पद की शपथ लेने के बाद एस जयशंकर ने सोमवार को विभिन्न...
મધ્યપ્રદેશથી આવેલી યુવતીનું 181 અભ્યમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
મધ્યપ્રદેશની સગીરા ભાઈ સાથે ઝઘડો થતાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન...
Loksabha Rajyasabha MPs Suspend:कांग्रेस नेता Priyanka Gandhi ने सरकार पर बोला हमला। Congress
Loksabha Rajyasabha MPs Suspend:कांग्रेस नेता Priyanka Gandhi ने सरकार पर बोला हमला। Congress