જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે બે જવાન પણ ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, રાજૌરીના દરહાલ વિસ્તારના પરગલમાં કોઈએ સેનાના કેમ્પની વાડને પાર કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો. જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા.

એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતું કે દર્હાલ પોલીસ સ્ટેશનથી 6 કિમી દૂર વધારાની ટીમો મોકલવામાં આવી છે. જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સેનાના 2 જવાન ઘાયલ થયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.