ભારતીય બનાવટી ચલણી નોટના બે ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી આમદશા જુસબસા કાસમશા શેખ ને પકડી પાડતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર.સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન બાતમીના આધારે જોરાવરનગર પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની માહિતી મળી હતી. જેથી પીપરાળા પોલીસ ચેકપોસ્ટ પાસેથી અંજાર કચ્છના રહેવાસી પર રહેતા આજમશા જુશબશા શેખને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસના હવાલે મોકલી અપાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, એઅસઆઇ ઘનશ્યામભાઇ મસિયાવા તેમજ વિજયસિંહ, ચેહરભાઇ, અશ્વિનભાઇ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ જોડાઇ હતી.