સુરેન્દ્રનગર જિલ્લાની હાઈવે ચોરીઓમાં સામેલ 18 શખ્સો સામે પોલીસે વર્ષ 2020માં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આ કેસમાં જેલમાંથી પેરોલ પર છુટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જેમાં તાજેતરમાં બે આરોપી ઈંગરોળીથી અને એક લખતરથી પકડાયો હતો. ત્યારે ગુરૂવારે એલસીબી ટીમે વધુ એક ફરાર આરોપીને વણા ગામના પાટીયા પાસેથી પકડી લઈ લખતર પોલીસના હવાલે કર્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ હાઈવે પર ચાલુ વાહને ચોરી કરતી ગેંગના સભ્યોએ તરખાટ મચાવ્યો હતો. ત્યારે વર્ષ 2022માં પોલીસે આવી ચોરીઓમા સામેલ ગેડીયા ગેંગના 18 સભ્યો સામે ગુજસીટોક(ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ) એકટ 2015 મુજબ ગુનો દાખલ કર્યો હતો. અને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. જેમાં સમયાંતરે આરોપીઓ પેરોલ પર છુટી ફરાર થઈ ગયા હતા. જેમાં તાજેતરમાં જ પોલીસે ઈંગરોળીમાંથી બે આરોપીઓને દબોચી લીધા હતા. જયારે લખતર પોલીસે બે દિવસ પહેલા જ 33 વર્ષીય ઈંગરોળીના મહમદખાન માલાજી મલેકને પકડી પાડયો હતો. આ દરમિયાન એલસીબી પીઆઈ વી.વી.ત્રીવેદીની સુચનાથી લખતર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એસ.વી. દાફડા, લક્ષ્મણસીંહ, સાહીલભાઈ સહિતનાઓને આ કેસનો વધુ એક પેરોલ જમ્પ આરોપી સીરાઝ રહીમભાઈ જતમલેક વણા ગામના પાટીયા પાસે હોવાની બાતમી મળી હતી. આથી એલસીબી ટીમે તેને પકડી લઈને લખતર પોલીસના હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમીક પુછપરછમાં પેરોલ જમ્પ કર્યા બાદ સીરાઝખાને ધ્રાંગધ્રાના જશાપર-ભરાડાની સીમમાં, અંકેવાળીયા અને કારેલા ગામેથી એરંડા, મોઢવણામાં જીરૂ અને લખતર હાઈવે પરથી સાથીદારો સાથે મળી તુવેરદાળની ચોરીને અંજામ આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લામાં કોંગ્રેસ થઈ સક્રિય
સુરત જિલ્લામાં કોંગ્રેસ થઈ સક્રિય
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને સિસોદિયા આજે ગુજરાત આવશે , શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપશે
એક તરફ કેન્દ્રીય તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નજર રાખી રહી છે તો બીજી તરફ પાર્ટી ગુજરાત...
કડીમાં ગ્રીન મતદાન મથક ઊભું કરાયું: દિવ્યાંગો માટે બુથોની અલાયદી વ્યવસ્થા, સેલ્ફી પોઇન્ટની પણ વ્યવસ્થા
1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે બીજા તબક્કાના મતદાનના ગણતરીના કલાકો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહીદોનુ સન્માન કરવા તેમને યાદ કરવા માટે મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહીદોનુ સન્માન કરવા તેમને યાદ કરવા માટે મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ