ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નું અભિયાન ચાલુ કરાયું છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા સેવા સદન ખાતે નીચેના ભોય તળીયે આવેલી  મામલતદાર કચેરીના કર્મચારીઓ જ્યાં બેસે છે તે બારીની પાસે કર્મચારીઓ પાન મસાલા ખાઈ પિચકારી મારી ગંદકી ફેલાવતા હોવાનું નજરે પડી રહ્યું છે ગુજરાત રાજ્ય સરકાર સફાઈ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે આ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ અભણ વ્યક્તિઓ કરતા પણ બત્તર દાખલો બેસાડતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે.... શું આ લોકોને કોઈ કહેવાવાળું નથી કે તેમને મસાલાઓ ખાઈ પિચકારી મારવાની છૂટ આપવામાં આવી છે એ એક વિચારવા જેવો પ્રશ્ન છે