તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ બાબુભાઇ દેસાઇ બિનહરીફ વિજેતા થયા છે. ત્યારે બાબુભાઈ દેસાઈ દુધરેજ વડવાળા મંદિરના દર્શનાર્થે આવ્યાં હતા અને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા વડવાળા દેવના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.તેઓએ જણાવ્યું કે, દૂધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર 1008 પ.પુ.ધ.ધુ કનીરામ બાપુ, કોઠારી મુકુંદરામ બાપુના પણ આશિર્વાદ મેળવ્યા હતા. સાથે આગામી દિવસોમાં દેશની સેવા કરવા માટેની તક મળી છે. સંગઠન દ્વારા મારા જેવા નાના કાર્યકરને રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી કરી તે મારા માટે ગૌરવ રૂપ છે. આજે વડવાળા મંદિરે આવી દર્શન કર્યા અને બાપુના આશીર્વાદ મેળવ્યા છે.રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી બાદ બિનહરીફ વિજેતા થવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને પ્રદેશના સંગઠનના હોદેદારો સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સંસદ સભ્ય વડવાળા મંદિરે દર્શનાર્થે આવ્યાં, તે પહેલા રબારી સમાજના યુવાનો અને મંદિરના આગેવાનો દ્વારા ગામમાં એક બાઇક રેલી યોજી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चंद्रयान-3 की नई तस्वीर आई...खुशखबरी लाई ! | Chandrayaan 3 Mission Updates | ISRO | Hindi News
चंद्रयान-3 की नई तस्वीर आई...खुशखबरी लाई ! | Chandrayaan 3 Mission Updates | ISRO | Hindi News
अक्सर थकान और बाल झड़ना हो सकते हैं आयरन की कमी का संकेत, Iron-Rich Foods से करें इनसे बचाव
Iron-Rich Foods: शरीर में किसी भी पोषक तत्व की कमी होना, सेहत पर कहर बरपा सकता है। हालांकि,...
ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં રહેતા વકીલ ચંદ્રપાલસિંહ ચંપાવત ના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા,
ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં રહેતા વકીલ ચંદ્રપાલસિંહ ચંપાવત ના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા,