ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ આજ રોજ રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ મનીષભાઈ જાની,દગીશભાઈ જાની અતિથિ વિશેષ તરીકે જ્યોત્સનાબેન પંડ્યા , અને ઈનામ વિતરક દાતા તરીકે સ્વ. નિશિત ભાઈ વ્યાસનો પરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.