કાલોલ ની ગોમા નદીમાંથી રેતી ખનન નો મુદ્દો હાલ ચર્ચા મા છે કાલોલ અને આસપાસ ના ગામોમા ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો દ્વારા કાલોલ મામલતદાર ને આવેદન પત્ર આપી માફીયાઓ ના નામો લખી જણાવેલ કે તેમના ગામ નજીક આવેલ ગોમા નદીના પટમાં થી ટ્રેક્ટર અને જેસીબી મશીનથી ગેરકાયદેસર રીતે છેલ્લા દોઢેક વર્ષ થી ચાર ઈસમો રેતી, માટી ,બેટ નુ ખનન કરી રહ્યા છે. હાલમાં રાજુભાઈ રમણભાઈ પટેલ ના ખેતર ની નીચે ગોમા નદીના પટ મા આવેલ ચેકડેમ માથી પાસ પરમીટ વગર રાત દિવસ બેફામ અને ખુલ્લેઆમ રેતી કાઢી રહ્યા છે અને ગ્રામજનો કહેવા જાય ત્યારે માફિયાઓ લાકડીઓ લઇને ઉભા રહી ગાળો બોલી ધાકધમકી આપી કોઈના બાપની નદી નથી એમ કહી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપે છે. બેફામ ખનન થી ગામનુ પર્યાવરણ બગડે છે નદીમાં ખાડા પડી જવાથી પાણી ભરાવવા ને કારણે અક્સ્માત ની સંભાવના વધી છે ગામના પાણીના સ્તર નીચા ગયા છે. મામલતદાર ને રજુઆત કરી નદીમાં પડેલ ખનન ના ખાડા જોઇ માપણી કરી કાયદેસર કાર્યવાહી કરવા ની માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'लोकतंत्र को खत्म करने की BJP की साजिश को करते रहेंगे नाकाम', खरगे का केंद्र सरकार पर हमला
नई दिल्ली। किसान आंदोलन के दौरान सत्ता विरोधी सुरों को ट्विटर प्लेटफार्म से हटाने के लिए...
જમ્મુ તાવી હાપા ટ્રેન હડફેટે લખતરના યુવાનનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર...
बेटियों को समझाइए संस्कार और परम्परा की गूढ़ता का महत्व - गौवत्स पं विष्णु श्री कृष्ण तनय
बेटियों को समझाइए संस्कार और परम्परा की गूढ़ता का महत्व - गौवत्स पं विष्णु श्री कृष्ण तनय...
લાલપુર તાલુકાના આરીખાણા અને રંગપુર ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા'' નું ઉમળકાભેર સ્વાગત કરાયું
લાલપુર તાલુકાના આરીખાણા અને રંગપુર ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા'' નું ઉમળકાભેર સ્વાગત...