જગદગુરુ નિમ્બાર્કાચાર્યની 5384મી તિથિ નિમિતે સૌરાષ્ટ્રમાં છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડીમાં નિમ્બાર્ક પીઠ પ્રવેશદ્વારનું ભુમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબડી મોટા મંદિરના મહંત મહામંડલેશ્વર લલિતકિશોરચરણજી, મહેન્દ્રસિંહ જાડેજા(ભાણુભા), પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, શંકરભાઈ દલવાડી, બિપીનભાઈ ખાંદલા, હરજીભાઈ સહિતના સ્વયં સેવકો હાજર રહ્યા હતા.